GANDHINAGAR : મહિલાઓ માટે રાજ્ય સરકારનો ખાસ કાર્યક્રમ, 1 લાખ સખી મંડળને અંદાજે 50 કરોડનું ધિરાણ અપાશે
મહિલાઓને સ્વનિર્ભર માટે રાજ્ય સરકારે ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે, જેમાં ગરીબ બહેનોને વ્યાજના ચક્રમાંથી બહાર કાઢવા ધિરાણ આપવામાં આવશે.
GANDHINAGAR : મહિલાઓને સ્વનિર્ભર માટે રાજ્ય સરકારે ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે, જેમાં ગરીબ બહેનોને વ્યાજના ચક્રમાંથી બહાર કાઢવા ધિરાણ આપવામાં આવશે. આ અંતર્ગત પાંચ હજાર સખી મંડળોને એક લાખ રકમની ફાળવણી કરાશે. મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે સરકાર ધિરાણથી મદદ કરશે. આ અન્વયે 1 લાખ સખી મંડળને અંદાજે 50 કરોડનું ધિરાણ અપાશે. જેમાં 1 લાખ બહેનોને આ યોજનાનો લાભ મળશે. નોંધનીય છેકે ઓગસ્ટના પ્રથમ સપ્તાહની ઉજવણીને લઇને આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેનો કાર્યક્રમ 4 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ થકી મહિલાઓને સ્વનિર્ભર કરવાની સરકારની નેમ છે.