ભાવનગરમાં નળમાં પીવાના પાણીની સાથે માછલીઓ પણ નીકળી આવી, જુઓ વિડીયો

બોરતળાવ અને આજુબાજુ ની અનેક સોસાયટીઓમાં નળમાંથી માછલીઓ પ્રગટ થતાં લોકોમાં કુતૂહલતા ઉભી થઇ છે અને પીવાનું પાણી કઈ રીતે ઉપયોગ કરવો તેની લોકોમાં ચિંતા ઉભી થવા પામી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 4:43 PM

BHAVNAGAR : ભાવનગરમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ભાવનગરમાં કોર્પોરેશન જાણે માછલીઓની હોમ ડિલીવરી કરતું હોય તેમ નળ ખોલતા જ પાણી સાથે માછલીઓ પણ લોકોના ઘરમાં પહોંચે છે. શહેરના ગૌરીશંકર સોસાયટી, શિવમનગર જેવા વિસ્તારોમાં કોર્પોરેશનના પાણીમાં માછલીઓ વણનોતરી મહેમાનની જેમ આવે છે. માછલીવાળું પાણી પીવા લોકોની મજબુરી બની છે, તો ગંદા પાણીના સેવનથી સ્વાસ્થ્યના પ્રશ્નો તો સર્જાય જ છે, સાથે સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દૂભાઈ છે.

આમ તો ભાવનગર શહેરભરમાં લોકોને વિતરણ કરવામાં આવતું પાણી ફિલ્ટર પ્લાન્ટમાંથી આવે છે.ત્યારે એવો પ્રશ્ન સ્વાભાવિક જ ઉઠે કે કરોડો રૂપિયાના ખર્ચે લગાવાયેલા ફિલ્ટર પ્લાન્ટ શું શોભાના ગાઠિયા બની રહ્યા છે.? અગાઉ શહેરમાં ગટરના પાણીથી મિશ્રીત પીવાનું પાણી આવતું હોવાની સમસ્યા હતી.

બોરતળાવ અને આજુબાજુ ની અનેક સોસાયટીઓમાં નળમાંથી માછલીઓ પ્રગટ થતાં લોકોમાં કુતૂહલતા ઉભી થઇ છે અને પીવાનું પાણી કઈ રીતે ઉપયોગ કરવો તેની લોકોમાં ચિંતા ઉભી થવા પામી છે. આ અંગે મનપા દ્વારા તાત્કાલિક જો પગલાં ભરવામાં નહીં આવે તો આ પાણીના લીધે રોગચાળો વકરવાની શક્યતાઓ રહેલી છે.

ભાવનગર મહાનગરપાલિકાના ઘણા વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યા છે. શહેરના જવેલ્સ સર્કલ પાસે આવેલ બેથી ત્રણ સોસાયટીમાં પીવાના પાણીમાં જીવતી નાની-નાની માછલીઓ આવી રહી છે, લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગૌરીશંકર સોસાયટી અને શિવમનગર વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હર વખતની માફક જાડી ચામડીના અધિકારીઓને ક્યાં કોઈ લોકોની ચિંતા હોય છે તેમ માત્ર મુક પ્રેક્ષક બનીને કોઈ ચિંતા વગર પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ભાવનગરમાં હવે રોડની ગુણવત્તાની ચકાસણી માટે આધુનિક લેબ બનાવવામાં આવશે

આ પણ વાંચો : કચ્છના બન્ની વિસ્તારમાં ફરી દેખાશે ઘાસના મેદાન, વનવિભાગે NGTના આદેશ બાદ દબાણો દુર કર્યા

 

 

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">