સુરેન્દ્રનગર : નર્મદાના નીર માટે ખેડૂતોના વલખા, 31 ગામોને પાણી આપવાની માંગ સાથે ખેડુતો આંદોલનના માર્ગે

છેલ્લા ત્રણ દિવસથી 31 ગામના ખેડૂતો (Farmer) અને સરપંચો ઉપવાસ આંદોલન પર બેઠા છે.ઉપરાંત જો આગામી સમયમાં માંગ ન સંતોષાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 9:23 AM

સુરેન્દ્રનગરમાં (Surendranagar) નર્મદાના નીર માટે ઉપવાસ આંદોલન પર બેસેલા ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.તમને જણાવી દઈએ કે, ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના ૩૧ ગામોને નર્મદાના નીર આપવા માટે ખેડૂતો અને સરપંચોએ આ રજૂઆત કરી છે. સાથે જ નર્મદાના (Narmada )નીર આપવાની માંગ સાથે ખેડૂતોએ(Farmer) કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.છેલ્લા ત્રણ દિવસથી 31 ગામના ખેડૂતો અને સરપંચો ઉપવાસ આંદોલન પર બેઠા છે.ઉપરાંત જો આગામી સમયમાં માંગ ન સંતોષાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

31 ગામના ખેડૂતોના નર્મદાના નીર માટે વલખા !

ખેડુતો માટે આશીર્વાદરૂપ નર્મદાના નીર સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ગામડાઓને પુરૂ પાણી મળી રહ્યું નથી. ત્યારે વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળી આ 3 તાલુકાના 31 ગામના ખેડૂતોને સિંચાઇ (Irrigation)માટે નર્મદાનું પાણી આપવામાં આવતું નથી. આથી અનેક રજૂઆતો કરીને થાકેલા ગામના સરપંચો અને આગેવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર તે સમયે મુખ્યપ્રધાને દોઢ મહિનામાં પાણી આપવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી પાણી તો નથી આપવામાં આવ્યુ પરંતુ કેનાલ કે પાઇપ લાઇનની કોઇ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.

ખેડૂતોએ રજૂઆતમાં એવું પણ જણાવ્યું કે 31 ગામના તળાવો પણ નર્મદાના નીરથી ભરવામાં આવે જેથી સિંચાઇના પાણીની યોગ્ય વ્યવસ્થા થઈ શકે, જો તેમ કરવામાં નહી આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ફરજ પડશે.

 

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">