ACની ગેરંટી છે, છતાં કંપની રિપેરિંગના પૈસા લે, તો અહીં કરો ફરિયાદ

જો AC કંપની ગેરંટી અને વોરંટી હોવા છતાં AC રિપેર કરવા માટે પૈસા લેતી હોય તો તમે તેની ફરિયાદ કરી શકો છો. જેમાં તમારે AC કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવાની રહેશે.

ACની ગેરંટી છે, છતાં કંપની રિપેરિંગના પૈસા લે, તો અહીં કરો ફરિયાદ
AC repairs
Follow Us:
| Updated on: Apr 27, 2024 | 9:15 AM

ઉનાળાની ઋતુમાં માત્ર એર કંડિશનર જ લોકોને રાહત આપે છે, જે લોકો પાસે એર કંડિશનર નથી તેઓ નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છે. જેમની પાસે પહેલાથી જ AC છે તેઓએ તેમના AC સર્વિસ અને ગેસ રિફિલ કરાવવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ AC યુઝર છો, તો અમે તમને અહીં કેટલીક ઉપયોગી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

મફતમાં ગેસ ભરવાની ખાતરી પણ આપે છે

નવું એર કંડિશનર ખરીદવા પર કંપની તરફથી ગેરંટી અને વોરંટી આપવામાં આવે છે. જેમાં અલગ-અલગ ભાગોની અલગ-અલગ ગેરંટી હોય છે. આ સિવાય કેટલીક કંપનીઓ મર્યાદિત સમય માટે ગેસ લીકેજના કિસ્સામાં મફતમાં ગેસ ભરવાની ખાતરી પણ આપે છે. જો તમારું AC આ પ્રકારની ગેરંટી હેઠળ છે અને તેમ છતાં કંપની તમારી પાસેથી પૈસા વસૂલ કરી રહી છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

ક્યાં ફરિયાદ કરી શકો અને શું થશે ફાયદો?

જો AC કંપની ગેરંટી અને વોરંટી હોવા છતાં AC રિપેર કરવા માટે પૈસા લેતી હોય તો તમે તેની ફરિયાદ કરી શકો છો. જેમાં તમારે AC કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવાની રહેશે. જ્યાં સુનાવણી બાદ જો નિર્ણય તમારી તરફેણમાં આવશે તો કંપની પર ચોક્કસપણે દંડ લાગશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કયા આધારે થશે ફરિયાદ?

જો તમે નવું એર કંડિશનર ખરીદી રહ્યા છો, તો તમારે ACની ગેરંટી અને વોરંટી વિગતો લેખિતમાં લેવી પડશે. જેના આધારે તમે એસી કંપની અને સર્વિસ પ્રોવાઈડર વિરુદ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકો છો. જો તમારી પાસે માન્ય ડોક્યુમેન્ટ્સ ન હોય તો ગ્રાહક અદાલતમાં નિર્ણય તમારી તરફેણમાં નહીં આવે.

એસી કંપની પર દંડ વસૂલવામાં આવ્યો છે

એક કેસની સુનાવણી કરતી વખતે, ભોપાલની ગ્રાહક અદાલતે એસી કંપનીને રૂપિયા 31,212, એસી રિપેર કરવા બદલ સર્વિસ પ્રોવાઇડરને રૂપિયા 5,500 અને માનસિક યાતના પહોંચાડવા બદલ રૂપિયા 8,000નો દંડ ફટકાર્યો છે. ભોપાલના એક વ્યક્તિએ 2020માં એક એસી ખરીદ્યું હતું, જેની કિંમત 31,212 રૂપિયા હતી.

આ ACમાં 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી, 5 વર્ષની PCB વોરંટી અને 5 વર્ષની કન્ડેન્સરની સાથે ફ્રી ગેસ ફિલિંગની ગેરંટી હતી. પરંતુ જ્યારે એસી ખરાબ થઈ ગયું ત્યારે કંપનીના સર્વિસ પ્રોવાઈડર દ્વારા એસી રિપેર કરવા માટે યુઝર્સ પાસેથી રૂપિયા 5500 વસૂલવામાં આવ્યા હતા અને પછી જ્યારે એસી ફરી ખરાબ થઈ ગયું ત્યારે વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. જે બાદ એસી યુઝરે ગ્રાહક કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં ગ્રાહક અદાલતે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">