Shani Dev Puja: શનિદેવની પૂજામાં ભૂલથી પણ ન કરો આ 3 વસ્તુઓનો ઉપયોગ, નહીં તો ભોગવવું પડશે ખરાબ પરિણામ!

Shanivar Puja Niyam: જો તમે ઈચ્છો છો કે શનિદેવ ક્યારેય તમારાથી નારાજ ન થાય અને તમારે શનિદેવનો પ્રકોપ સહન ન કરવો પડે તો તમારે શનિવારે શનિદેવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

Shani Dev Puja: શનિદેવની પૂજામાં ભૂલથી પણ ન કરો આ 3 વસ્તુઓનો ઉપયોગ, નહીં તો ભોગવવું પડશે ખરાબ પરિણામ!
Shani Dev
Follow Us:
| Updated on: Apr 27, 2024 | 9:26 AM

Shani Dev Puja:  શનિદેવને કાર્યોનો ન્યાયાધીશ કહેવામાં આવે છે. તમામ ગ્રહોમાં શનિદેવ એક માત્ર એવો ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. પછી તે સારા કાર્યો હોય કે ખરાબ. ઘણા લોકો શનિદેવની પૂજા કરે છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે.

શનિના પ્રકોપથી બચવા માટે દરેક વ્યક્તિ તેને નમન કરે છે, પરંતુ શું તમે જાણો છો કે શનિદેવની પૂજા દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ ? જો તમે શનિદેવની પૂજાના નિયમોનું પાલન ન કરો તો તમારે વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે. શનિદેવની પૂજા મુખ્યત્વે શનિવારે કરવામાં આવે છે.

શનિદેવની પૂજામાં ભૂલથી પણ કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તેઓ ગુસ્સે થાય છે. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શનિદેવની પૂજામાં આ વસ્તુઓનો સમાવેશ ન કરો

  1. શનિદેવની પૂજામાં ભૂલથી પણ તાંબાના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તાંબુ સૂર્યની ધાતુ છે અને શાસ્ત્રો અનુસાર શનિ અને સૂર્ય એકબીજાના શત્રુ છે. આમ કરવાથી વ્યક્તિને શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. શનિદેવની પૂજામાં હંમેશા લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ.
  2. શનિદેવને ભૂલથી પણ લાલ રંગના ફૂલ, લાલ રંગના કપડાં વગેરે ન ચઢાવવા જોઈએ, કારણ કે આ રંગ મંગળનો છે. શનિ અને મંગળ એકબીજાની વિરુદ્ધ છે. શનિદેવને  ગલગોટાના ફૂલ ન ચઢાવવા જોઈએ. આમ કરવાથી પણ તેઓ ગુસ્સે થઈ જાય છે.
  3. આ સિવાય શનિદેવની પૂજામાં પીળા ચંદનનો ઉપયોગ ન કરવો જોઈએ. શનિ મહારાજને હંમેશા લાલ ચંદન અર્પણ કરો. આમ કરવાથી શનિસાડા સાતીની અશુભ અસર ઓછી થાય છે.

શનિદેવની પૂજા કરતી વખતે આટલી સાવધાની રાખો

  1. કાળા તલ અને અડદની દાળથી બનેલી ખીચડી ભગવાન શનિને ચઢાવવામાં આવે છે. શનિદેવને કાળા તલ અર્પણ કરવાથી લોકો પ્રસન્ન થાય છે, પરંતુ શનિદેવને ક્યારેય પણ સફલ તલ ન ચઢાવવા જોઈએ.
  2. શનિદેવની પૂજા કર્યા પછી જો તમે ખીચડી ચઢાવતા હોવ તો ભૂલથી પણ તેમાં દાળ ન નાખો. આમ કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે. કેમ કે મંગળની પૂજામાં મસૂરની દાળ ચઢાવવામાં આવે છે.
  3. શનિદેવની પૂજા સવારે કે બપોરે નહીં, પરંતુ સૂર્યાસ્ત પછી કરવી જોઈએ. સૂર્યોદય સમયે સૂર્યના કિરણો શનિની પીઠ પર પડે છે. ભગવાન શનિને પોતાના પિતા સૂર્ય સાથે દુશ્મનભાવ છે, તેથી શનિદેવ આ સમય દરમિયાન પૂજા સ્વીકારતા નથી, તેથી સવારે શનિની પૂજા ન કરો.
  4. આ સિવાય જ્યારે પણ તમે શનિદેવની પૂજા કરો ત્યારે લાલ રંગના કપડા ન પહેરો. શનિદેવની પૂજા કરતી વખતે, તમે વાદળી અને કાળા જેવા તેમના પ્રિય રંગોના વસ્ત્રો પહેરી શકો છો. શનિદેવની દિશા પશ્ચિમ માનવામાં આવે છે, તેથી તેમની પૂજા દરમિયાન તમારું મુખ પશ્ચિમ તરફ જ હોવું જોઈએ.
  5. એવી માન્યતા છે કે જો શનિદેવની નજર કોઈ પર પડે તો તેના બધા કામ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં શનિદેવની પૂજા દરમિયાન ક્યારેય પણ તેમની આંખોમાં સીધા ન જુઓ, બલ્કે પૂજા દરમિયાન તમારી આંખો તેમના ચરણ તરફ રાખો.
  6. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે સરસવના તેલનો દીવો શનિદેવની મૂર્તિની સામે ન પ્રગટાવવો જોઈએ, પરંતુ મંદિરમાં હાજર શનિદેવની શિલાની સામે જ પ્રગટાવવો જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">