AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રી રામને આવકારવા ભક્તોમાં અનેરો ઉત્સાહ, પ્રભુના વધામણા માટે ઠેર ઠેર યોજાઈ શોભાયાત્રા- વીડિયો

શ્રી રામને આવકારવા ભક્તોમાં અનેરો ઉત્સાહ, પ્રભુના વધામણા માટે ઠેર ઠેર યોજાઈ શોભાયાત્રા- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2024 | 11:09 PM
Share

અયોધ્યામાં ભગવાન શ્રી રામનો 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ રામભક્તિમાં લીન બન્યો છે. ઠેર ઠેર ભગવાન રામના વધામણા માટે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જુઓ જુનાગઢ, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં રંગેચંગે શોભાયાત્રા નીકળી હતી.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ગુજરાતમાં પણ અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જુનાગઢ ભવનાથ તળેટીમાંથી સાધુ સંતો દ્વારા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને બાઈક અને ફોર વ્હીલ સાથે ભવ્ય રેલી નિકળી હતી. આ તરફ જામનગરના કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. શહેરના મૂળીલા ગેટ, કૈલાસનગર, શીતળા કોલોની, લીમડા ચોક સહિત સમગ્ર શહેરમાં બાઈક રેલી ફરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા રામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન, 1 લાખથી વધુ લોકો માટે કરાયુ જમણવારનું આયોજન- જુઓ તસ્વીરો

જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં રામજી મંદિરેથી રામરથનું પ્રસ્થાન થયું હતુ. પૂજા અર્ચના બાદ આરતી કરી રામરથનું પ્રસ્થાન કરાવાયું. છાપરિયા રામજી મંદિર મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. બનાસકાંઠાના પાલનપુર જીડી મોદી કોલેજથી રામજી મંદિર સુધી બે કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વેપારી એસોસિશન અને અન્ય ધાર્મિક સંગઠન આ શોભાયાત્રામાં જોડાયા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">