‘વિપૂલ’ કૌભાંડ: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનની વધી મુશ્કેલી, વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

કોર્ટમાં એસીબી (ACB) દ્વારા છ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી પણ કોર્ટે આ માગ નામંજૂર કરી હતી.જે બાદ વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 9:05 AM

દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને (Vipul Chaudhary) જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં એસીબી (ACB) દ્વારા છ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી પણ કોર્ટે આ માગ નામંજૂર કરી હતી. જે બાદ વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial custody) મોકલાયા છે. બીજી તરફ ACBના DYSP આશુતોષ પરમારે ખુલાસો કર્યો હતો.

વિપુલ ચૌધરીના પત્ની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે

હાલ વિપુલ ચૌધરીના ચાર બેન્ક એકાઉન્ટ, તેમના પત્ની ગીતા ચૌધરીના (Gita chaudhary) 10 એકાઉન્ટ અને પુત્રના 6 એકાઉન્ટ સહિત અલગ- અલગ 20 એકાઉન્ટ તપાસવામાં આવ્યા હતા. 2009થી 2014ના ગાળામાં વિદેશમાં 15 કરોડ જેટલા વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ વિદેશી રોકાણ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે. હાલ વિપુલ ચૌધરીના પત્ની અને તેમના પુત્ર વિરૂદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે તેવા અહેવાલ મળી રહ્યા છે.

ભ્રષ્ટાચારને લઈ તપાસનો ધમધમાટ

મહત્વનું છે કે મહેસાણાની દૂધસાગર ડેરીમાં  ભ્રષ્ટાચારને (Corruption) લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ તપાસમાં ED  પણ જોડાશે, આથી વિપુલ ચૌધરી સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">