Cyclone Biparjoy: જામનગરના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાયો, જુઓ Video
માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને પગલે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દરીયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
Jamnagar : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-ડીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જેમાં જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિક્કા, દેવભૂમિદ્વારકા જિલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર, પોરબંદર જિલ્લાના નવીબંદર સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે.
માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને પગલે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી
જ્યારે કે 8 જૂનના રોજ તે અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.તો સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
