સુરેન્દ્રનગર વીડિયો: કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં મીઠાના પાટા પર ફરી વળ્યુ કેનાલનું પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં 3 મહિનામાં બીજી વખત અગરિયાઓની મહેનત પર નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે.જેના કારણે કચ્છનું નાનું રણ તરીકે જાણીતા વિસ્તાર બેટમાં ફેરવાયું અને મીંઠાના પાટા ધોવાઈ ગયા છે.અગરિયાઓનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી આ જ સ્થિતિ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં 3 મહિનામાં બીજી વખત અગરિયાઓની મહેનત પર નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે. જેના કારણે કચ્છનું નાનું રણ તરીકે જાણીતા વિસ્તાર બેટમાં ફેરવાયું અને મીંઠાના પાટા ધોવાઈ ગયા છે. અગરિયાઓનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી આ જ સ્થિતિ છે. નર્મદા કેનાલનું વધારાનું પાણી અહીં આવી જતા મીઠાના પાટાનું ધોવાણ થઈ જાય છે. અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલા લેવાતા નથી.
ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના અગરિયાઓ કડકડતી ઠંડી હોય કે તડકો પરંતુ તે લોકોના સ્વાદ માટે મીઠાનું ઉત્પાદન કરે છે. કચ્છના નાના રણમાં અંદાજે 200 કરતા વધુ મીઠાના પાટા આવેલ છે અને અંદાજે 5 હજારથી 7 હજાર લોકો મીઠાનું ઉત્પાદન કરી પોતાની રોજી રોટી મેળવે છે.ત્યારે આસપાસના ગામોની પસાર થતી નર્મદાની કેનાલમાં ખેડૂતો ગેરકાયદે હોલ કરી તેમાંથી પાણી મેળવે છે. જેના કારણે કેનાલનું પાણી લિકેજ થતા રણમાં ફરી વળે છે. ત્યારે તેમની મહેનત પર પણ પાણી ફરી વળતા અગરીયાઓ બેકાર બન્યા છે.
અગરિયાઓનું પકવેલું મીઠું નાશ પામતા તેઓ સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે.અને નર્મદાનું ગેરકાયદે પાણી લેતા ખેડૂતોને વધારાનું પાણી ન છોડવા અપીલ કરી હતી.અનેક રજૂઆત બાદ પણ નર્મદા નિગમના બાબુઓએ કોઈ દરકાર ન લેતા અગરીયાઓ બેકાર બન્યા છે.ત્યારે હવે સરકાર અગરિયાઓની વહારે આવે છે કે નહીં તે જોવું રહ્યુ છે.