Breaking News : સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર અતિક અહેમદની પૂછપરછ માટે UP પોલીસ આવી અમદાવાદ
યુપી પોલીસ અતિક અહેમદની અગાઉના ગુનાની પૂછપરછ માટે સેન્ટ્રલ જેલ પહોંચી છે. ચર્ચાસ્પદ ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની પૂછપરછ કરવામાં આવશે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર અતિક અહેમદની પૂછપરછ માટે UP પોલીસ અમદાવાદ આવી છે. આપને જણાવી દઈએ કે યુપી પોલીસ અતિક અહેમદની અગાઉના ગુનાની પૂછપરછ માટે સેન્ટ્રલ જેલ પહોંચી છે. ચર્ચાસ્પદ ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની પૂછપરછ કરવામાં આવશે. માહિતી મુજબ યુપી પોલીસ પૂછપરછ બાદ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી ઉતર પ્રદેશ લઈ જઈ શકે છે.
પોલીસ ટ્રાન્સફર વોરંટથી લઈ જઈ શકે છે ઉતર પ્રદેશ
આપને જણાવી દઈએ કે, અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે. જેમા અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. સાથે જ યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.
મહત્વનું છે કે ઉમેશ પાલની હત્યા બાદ આતિકની પત્ની શાઈસ્તા પરવીને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, તેના બે સગીર પુત્રો આજમ અહેમદ અને અબાન અહેમદ કયા બાળ સંરક્ષણ ગૃહમાં છે, પોલીસે આનો જવાબ આપવો જોઈએ.
આ અંગે ધુમાનગંજ પોલીસે સીજેએમ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે અતીક અહેમદના બંને સગીર પુત્રો પ્રયાગરાજના રાજરૂપપુર બાળ સંરક્ષણ ગૃહમાં છે. કોર્ટે અતીકના વકીલને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકોને સોંપવા અંગેની અરજી રજૂ કરવા કહ્યું છે. આ સાથે આ મામલે સુનાવણી માટે 27 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.