AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બગદાણા વિવાદને અંગે મોટા સમાચાર, જયરાજ આહીરને સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન

બગદાણા ધામના સેવકને માર મારવાના મુદ્દે ઉગ્રતા વધી છે અને હવે આ મામલો આહીર v/s કોળી સમાજ વચ્ચે રાજકીય તેમજ સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે રામભાઈ વાળા અને ચેતન સોનીને SITની ટીમે નિવેદન નોંધવા બોલાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2026 | 2:59 PM
Share

બગદાણા વિવાદને અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોળી સમાજના યુવાન પર થયેલા હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.બગદાણાના નવનીત બાલધીયાને મારવામાં આવેલા માર મામલે SITની ટીમ દ્વારા છેલ્લા 16 દિવસથી તપાસ કરવામાં આવી રહી છે. રામભાઈ વાળા અને ચેતન સોની નામના વ્યક્તિઓને SITની ટીમે નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે.રામભાઈ વાળા નામના વ્યક્તિને જયરાજ આહીરએ ફોન કરી નવનીત બાલધીયાની માહિતી માંગી હતી.

જયરાજ આહીરને સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન

આ ઉપરાંત મહુવાના ચેતન સોની નામના વ્યક્તિને પણ પોલીસે નિવેદન નોંધવા બોલાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા ભોગ બનનાર નવનીત બાલધીયાએ SIT પાસે 15 જેટલા પુરાવાઓ આપ્યા હતા. જે પુરાવામાં રામભાઈ વાળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.સુત્રોના જણાવ્યા મુજબ જયરાજ આહીરને SIT સમક્ષ હાજર થવા ફરમાન છે.જયરાજ આહીર માયાભાઈ આહીરના પુત્ર છે. જયરાજ આહીરને સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન છે.

આ હુમલા કેસના ફરિયાદી નવનીત બાલધિયાએ જયરાજ સામે આરોપ લગાવ્યા છે.જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. SIT નવનીત બાલધિયા હુમલા કેસમાં તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર ઘટના ?

29 ડિસેમ્બરના રોજ કેટલાક ઈસમો દ્વારા લાકડીઓ વડે બગદાણાના કોળી સમાજના પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર હુમલો કર્યો હતો.જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ ઘટના મામલે નવનીત બાલધીયાએ SIT સામે આરોપી જયરાજ આહીર સામે પુરાવાઓ રજૂ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
g clip-path="url(#clip0_868_265)">