રાજકીય અખાડો બની ભાવનગર યુનિવર્સિટી, અઢી વર્ષથી કૂલપતિની નિમણૂક લટકી- Video

ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી કૂલપતિની નિમણૂક અટકેલી છે, લાંબા સમયથી આંતરિક રાજકારણને કારણે અહીં કોઈ કાયમી કૂલપતિ નથી. છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ કૂલપતિના સહારે યુનિવર્સિટીનું ગાડુ ગબડી રહ્યુ છે. જેના કારણે વહીવટી કામગીરી અધ્ધરતાલ લટકેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2024 | 1:24 PM

ભાવનગરની યુનિવર્સિટીની સાથે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું નામ જોડાયું છે. જે એક ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે,પરંતુ હાલ આ યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી કાયમી કુલપતિની નિમણૂક નથી થઈ. કુલપતિની નિમણૂક ન થવા પાછળનું કારણ અહીંનું રાજકારણ છે. કાયમી કુલપતિના અભાવે મહારાજ કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટી જાણે રાજકીય અખાડો બની ગઈ છે. કાયમી કુલપતિના અભાવે વહીવટી કામગીરી અટકે છે. યુનિવર્સિટીનો વિકાસ અટકે છે અને સરવાળે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.

હાલ ઈન્ચાર્જ કુલપતિના સહારે ગાડુ ગબડી રહ્યું છે. જેની સીધી અસર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 30 હજાર વિદ્યાર્થીઓ પર થાય છે. કાયમી કુલપતિ ન હોવાથી યુનિવર્સિટીમાં નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી. વિદ્યાર્થી સંગઠનો પણ માગણી કરી રહ્યા છે કે જલદીથી કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવે.

લોકસભાની ચૂંટણી પહેલા કાયમી કુલપતિની નિમણૂક પણ થઈ હતી. પરંતુ જેના પર કુલપતિના પદનો કળશ ઢોળાયો હતો તેમણે પદ સંભાળવાની ના કહેતા. નિમણૂક ખોરંબે ચડી ગઈ. હાલ યુનિવર્સિટીએ સર્ચ કમિટીની રચના કરી છે. જે આગામી સમયમાં નિમણૂક અંગે પ્રક્રિયા હાથ ધરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">