AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આ વર્ષે નહીં યોજાય ગીરનારની લીલી પરિક્રમા, માવઠાને કારણે મોટાપાયે રસ્તાઓનુ ધોવાણ થતા નિર્ણય

દર વર્ષે પ્રકૃતિના ખોળે યોજાતી ગીરનારની લીલી પરિક્રમા પર આ વર્ષે માવઠાનું ગ્રહણ લાગ્યુ છે અને પરિક્રમાં રૂટ પરના રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થતા આ વર્ષે પરિક્રમા સ્થગિત રાખવામાં આવી છે.

| Updated on: Oct 31, 2025 | 4:23 PM
Share

જુનાગઢમાં ગરવા ગીરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે યોજાતી ગીરનારની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે નહીં. ખરાબ રસ્તાને કારણે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ સમગ્ર ગુજરાતમાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે અને માવઠાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે મોટાપાયે નુકસાન જોવા મળી રહ્યુ છે ત્યારે પરિક્રમાં રૂટ પર પણ માવઠાને કારણે મોટાપાયે ધોવાણ થયુ છે. જેના કારણે તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંરપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે

જો કે પરંપરા જાળવી રાખવા માટે 1 નવેમ્બરે પ્રતીકાત્મક રીતે 100 લોકો માટે પરિક્રમાં યોજાશે. જેમા ભવનાથના સાધુ સંતો દ્વારા તા 1 નવેમ્બરના રાત્રિના પૂજન અર્ચન કરવામાં આવશે અને 2 જી નવેમ્બરે સવારે પ્રતિકાત્મક પરિક3માં શરૂ કરવામાં આવશે. પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન વનવિભાગ, પોલીસ, આરોગ્ય વિભાગ, ડોલીવાળા સાથે રહેશે.

પરિક્રમાં યોજવા માટે પણ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, તંત્રના તમામ અધિકારીઓ, કલેક્ટર, એસપી, ડીસીએફ, સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્યો સહિિતનાએ પરિક્રમાં રૂટનું ચેકિંગ કર્યુ હતુ અને આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. માવઠાને કારણે મોટાપાયે રસ્તાનું ધોવાણ થયુ છે. રસ્તાઓ તદ્દન બિસમાર બન્યા છે. જેના કારણે ભાવિકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી શકે છે. રૂટ નિરીક્ષણ દરમિયાન તમામે પરિક્રમા રદ કરવા માટેનો સામૂહિક નિર્ણય લીધો હતો.

જંગલ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદને કારણે મોટા પાયે માટીનું ધોવાણ થયુ છે. જેના કારણે અન્નક્ષેત્રો માટે સામાન પણ પહોંચાડી શકાય તેવી સ્થિતિ નથી. ભાવિકોને ભારે હેરાનગતિ ન થાય તેને ધ્યાને રાખી તંત્રએ આ નિર્ણય લીધો છે.  તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ વર્ષે પરિક્રમાં માટે જુનાગઢ ન આવવા માટે અપીલ કરવામાં આવી છે. ગીરનારની લીલી પરિક્રમાના ઈતિહાસમાં કોરોના બાદ બીજીવાર એવુ બન્યુ છે કે બંધ સ્થગિત કરવી પડી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">