બરવાળા લઠ્ઠાકાંડ : અમદાવાદના AMOS કંપનીમાં તપાસ હાથ ધરાઇ, મિથેનોલ સપ્લાય કરનારની ધરપકડ, FSLએ રજુ કરેલા રિપોર્ટમાં 98 ટકા કેમિકલ હોવાનો ઉલ્લેખ
બોટાદ ઝેરી દારૂ કાંડની તપાસ તેજ કરી દેવાઈ છે. ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદના પીપળજ પાસે આવેલી AMOS કંપનીમાં તપાસ હાથ ધરી છે. આ એ જ કંપની છે જ્યાંથી મિથનોલ કેમિકલ ચોરવામાં આવ્યું હતું.
બોટાદ (Botad) જિલ્લાના બરવાડામાં ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 29ના મોત થયા છે. તો કુલ 41 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 43 લોકો ભાવનગરની (Bhavnagar) સર. ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તો 12 દર્દીઓને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. 1 દર્દી બરવાડામાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલાને લઇને તપાસ તેજ કરી દેવાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચે અમદાવાદના (Ahmedabad) પીપળજ પાસે આવેલી AMOS કંપનીમાં તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઝેરી દારૂ અંગે FSLએ ગૃહ વિભાગમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ઝેરી દ્રવ્યમાં 98 ટકા કેમિકલ હોવાનો ઉલ્લેખ છે.
મિથેનોલ સપ્લાય કરનાર જયેશની ધરપકડ
બોટાદ ઝેરી દારૂ કાંડની તપાસ તેજ કરી દેવાઈ છે. ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદના પીપળજ પાસે આવેલી AMOS કંપનીમાં તપાસ હાથ ધરી છે. આ એ જ કંપની છે જ્યાંથી મિથનોલ કેમિકલ ચોરવામાં આવ્યું હતું. મિથેનોલ સપ્લાય કરનાર જયેશ અને કેમિકલ મેળવનાર સંજય નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે AMOS કંપનીમાં ભાડે રહીને કેમિકલનું કામ કરતો હતો. 3 દિવસ પહેલા જ જયેશે 600 લીટર મિથેનોલ બોટાદના બુટલેગર સંજયને આપ્યું હતું. સંજયે કબૂલાત કરી છે કે તેણે અમદાવાદથી મિથેનોલ કેમિકલ મગાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં જયેશે કબૂલ્યું કે, અગાઉ પણ મિથેનોલ મોકલાઈ ચૂક્યું છે. પાણીમાં મિથેનોલ કેમિકલ ભેળવીને ઇન્સ્ટન્ટ દારૂ જેવું પ્રવાહી બનાવાતું હોય છે. અટકાયત કરાયેલા શખ્સો અમદાવાદ, ધંધુકા અને બોટાદના રહેવાસી છે. AMOS નામની કંપની પીપળજ દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના 117 નંબરના પ્લોટમાં આવેલી છે.
ઝેરી દ્રવ્યમાં 80 ટકા કેમિકલ હોવાનો ઉલ્લેખ
બીજી તરફ ઝેરીદારૂ કાંડ મામલે ગૃહવિભાગે બેઠક બોલાવી. બેઠકમાં રાજ્યમાં પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. તો તો ઝેરી દારૂ અંગે FSLએ ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કર્યો છે. મળતી માહિતી અનુસાર ઝેરી દ્રવ્યમાં 98 ટકા કેમિકલ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે.