BANASKATHA : ખેડૂતોએ 3 લાખ 57 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની શક્યતા
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ 57 હજાર હેક્ટરમાં ખરીફ સીઝનમાં વાવેતર થયું છે. જો વરસાદના આવે તો આ તમામ વાવેતર વિસ્તારમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે.
BANASKATHA : જિલ્લામાં સરહદી વિસ્તારથી લઈ પર્વતીય વિસ્તારમાં વરસાદ ઓછો છે. અષાઢી બીજ બાદ ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. વાવેતર બાદ જે વરસાદ થવો જોઈએ તે થયો નથી. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 3 લાખ 57 હજાર હેક્ટરમાં ખરીફ સીઝનમાં વાવેતર થયું છે. જો વરસાદના આવે તો આ તમામ વાવેતર વિસ્તારમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે. એક તરફથી એક વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતો પિયત વિસ્તારમાં પાણીની મુશ્કેલી છે. જ્યારે બીજી તરફ બિનપિયત વિસ્તારમાં વરસાદ વિના વાવેતર કરેલો વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વાવેતર થઇ ચૂક્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ વધુ દસ દિવસ સુધી વરસાદ ખેંચાય તેમ છતાં ખેતીના પાકોને નુકશાન થઈ શકે તેવી શક્યતા નહીવત છે. પરંતુ જો વરસાદ દસ દિવસથી વધુ ખેંચાણ ખેંચાશે. તો ખેતીના પાકોને મોટું નુકસાન થશે. જિલ્લાના પિયત વિસ્તાર તેમજ બિનપિયત વિસ્તારમાં વરસાદના પાણીની મુશ્કેલી સર્જાઇ રહી છે.