Banaskantha : પીડિતનો અવાજ પહોંચ્યો લોકદરબારમાં, પ્રથમવાર મહિલા વ્યાજખોર સામે નોંધાઈ ફરિયાદ, જુઓ Video

રાજ્યભરમાંવ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અંબાજી ખાતે એસપીએ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અંબાજીના પીડિત ભરત વણઝારાએ મહિલા વ્યાજ ખોર સામે ફરિયાદ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 2:30 PM

બનાસકાંઠામા પહેલી વાર મહિલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે. રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા ચલાવવામા આવી રેહલી વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે હવે મહિલા વ્યાજખોરો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસકાંઠાના ભરત વણઝારાએ ખેડબ્રહ્મામાં રહેતી વર્ષા નામની મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

રાજ્યભરમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અંબાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અંબાજી ખાતે રહેતા ભરત વણઝારાએ મહિલા વ્યાજ ખોર સામે ફરિયાદ કરી હતી. મળતી માહિતી અનુસાર મહિલા વ્યાજખોરે ભરત વણઝારાને માસિક પાંચ ટકાના ઊંચા વ્યાજ દરે નાણા ધીર્યા હતા. જેમાં 2 લાખની સામે 1.77 લાખ વસૂલ કર્યા હતાં. છતા પણ તે પીડિત પાસે ચેક રિટર્ન કરવાની ધમકી આપતી હતી.

આ પણ વાંચો : અરવલ્લી પોલીસના 2 કોન્સ્ટેબલોએ શરમ નેવે મુકી, મોડાસા થી દહેગામ દારુની ખેપ મારવાનો કિમીયો SOGએ ઝડપ્યો

આ અંગે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે મહિલા વ્યાજખોર વારંવાર તેમના ઘરે આવતી હતી અને તેમને ડરાવતી ધમકાવતી હતી. જેની ધમકીઓથી પરેશાન થઈને અંબાજીના પીડીતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંબાજી પોલીસ દ્વારા મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો પરંતુ હજી ધરપકડ કરવામાં આવી નથી.

વિવિધ જિલ્લામાં પોલીસની અસરકારક કામગીરી

રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે જેને રૂ.2.70 લાખની સામે વ્યાજ સાથે રૂ.6.87 લાખ લઈ લીધા, તો પણ વધારાના રૂ.11.28 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહિ, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">