સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન કાર્યક્રમમાં પહોંચ્યા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જુઓ વીડિયો
આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો 66મોં પદવીદાન સમારોહ યોજાયો જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે રાજયપાલ આચાર્ય દેવવ્રત, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ હાજર રહ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સીટીની સ્થાપનાથી આજ દિન સુધીમાં કુલ 3,74,548 વિધાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ હતી.
આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીનો 66મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપનાથી આજ દિન સુધીમાં કુલ 3,74,548 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ હોવાની માહિતી સામે આવી હતી. 66મા પદવીદાન કાર્યક્રમમાં 15,754 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : આણંદ : બોરસદ ચોકડી બ્રિજ પર દોરી વડે યુવકનું ગળું કપાયું, જુઓ વીડિયો
આ દરમ્યાન અમિત શાહે કહ્યું કે, સરદાર પટેલ ન હોત તો દેશનું અસ્તિત્વ ન હોત. આ ભૂમિ સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. તેમણે કહ્યું મને સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાનમાં બોલાવ્યો તેનું ગૌરવ છે. અંગ્રેજોને ખબર ન હતી કે ભારતમાં સરદાર પટેલ હતા, જેમને દેશને એક કર્યો. સરદાર પટેલે દુઃખ સાથે 370ની કલમ સ્વીકારી હોવાનું અમિત શાહે જણાવ્યુ હતું. જ્યારે 370ની કલમ હટાવવાનો નિર્ણય મોદી સાહેબે કર્યો. તેમણે એ પણ કહ્યું કે, કોંગ્રેસે સરદાર પટેલને સન્માન આપ્યું નથી.