Breaking News : અમદાવાદમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે કરી મોટી પહેલ, જુઓ Video
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં દીકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી, ખાસ કરીને ટાઇપ વન ડાયાબિટીસથી પીડિત દીકરીઓ પાસેથી રાખડી બંધાવી.
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. તેમણે પોતાના સંસદીય ક્ષેત્રની દીકરીઓ, ખાસ કરીને ટાઇપ વન ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે આ પર્વ મનાવ્યો હતો. આ પ્રસંગે, અમિત શાહે દીકરીઓ પાસેથી રાખડી બંધાવી અને તેમના રક્ષણ તથા સ્વાસ્થ્યની જવાબદારીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
અમિત શાહે ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતા જણાવ્યું હતું કે તેમને આજીવન નિશુલ્ક ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે. આ નિર્ણયથી આ દીકરીઓના પરિવાર પરનો આર્થિક બોજ નોંધપાત્ર રીતે હળવો થશે. વધુમાં, અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ઇન્સ્યુલિન આપવું પૂરતું નથી, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારું રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદ્રઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
આ સિસ્ટમ અંતર્ગત ટાઇપ વન ડાયાબિટીસના દર્દીઓનું યોગ્ય સ્ક્રીનિંગ, નિયમિત બ્લડ શુગર ટેસ્ટિંગ અને ડોક્ટર દ્વારા જરૂરી ફોલોઅપ સારવાર પૂરી પાડવામાં આવશે, જે દીકરીઓના દીર્ઘકાલીન સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
વડોદરા જેલમાં ચૈતર વસાવાને બહેનોએ બાંધી રાખડી, ભાવુક રક્ષાબંધનના દ્રશ્યો જુઓ
