અમદાવાદને ફાટકમુક્ત કરવાની દિશામાં AMC ની પહેલ, લીધો આ મોટો નિર્ણય

મહાનગરપાલિકાની (AMC) રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના નિર્ણય અંતર્ગત ફાટકમુક્ત અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં વધુ ત્રણ અન્ડરબ્રિજ બનાવવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:17 AM

અમદાવાદને (Ahmedabad) ફાટકમુક્ત કરવાની દિશામાં AMCએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાની (AMC) રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના નિર્ણય અંતર્ગત ફાટકમુક્ત અભિયાન અંતર્ગત શહેરમાં ત્રણ અન્ડરબ્રિજ બનાવવામાં આવશે મકરબા, હેબતપુર અને બુટભવાની ખાતે આ અન્ડરબ્રિજ (Under bridge) બનાવવામાં આવશે. આ ત્રણેય સ્થળે આવેલા રેલવે ક્રોસિંગને ફાટકમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી AMCએ આ નિર્ણય લીધો છે.

 પ્રોજેક્ટનો અડધો ખર્ચ ભારત સરકાર ભોગવશે

આ પ્રોજેક્ટ માટે અડધો ખર્ચ ભારત સરકાર એટલે કે રેલવે વિભાગ અને અડધો ખર્ચ રાજ્ય સરકાર (Gujarat govt)  ભોગવશે. આ માટે કુલ 308 કરોડના નવા કામો મહાનગરપાલિકાની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ (road and buildeing committee) મંજૂર કર્યા છે. આ ઉપરાંત આગામી 15 સપ્ટેમ્બર પહેલા શહેરમાં પડેલા ખાડાઓ પૂરવાની સૂચના પણ જે-તે વિભાગને આપી દેવામાં આવી છે.

અમદાવાદમાં 4 ટાઉન પ્લાનીંગ સ્કીમને લીલીઝંડી

રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે વધુ એક નિર્ણય લીઘો છે. અમદાવાદ અને સુરત માં વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમ (Town Planning Scheme) ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત ના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટીપી સ્કીમને મંજૂર કરતો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવારમાં 4 ટાઉન પ્લાનીંગ સ્કીમ અને સુરતમાં એક સ્કીમને મંજૂર કરાઈ હોવાની જાણકારી અપાઈ છે. જેને લઈ બંને શહેરોમાં નવા રસ્તાઓનુ ઝડપી અમલીકરણ થઈ શકશે અને સાથે જ આંતરમાળખાકીય સવલતો મળશે. આ ઉપરાંત 10,900 થી વધુ EWS આવાસોનું નિર્માણ થશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">