BANASKANTHA: ભક્તોને હજુ કરવી પડશે માતાના દર્શન માટે પ્રતિક્ષા, અંબાજી મંદિર 11 જૂન સુધી બંધ

BANASKANTHA: માતાના દર્શન માટે ભક્તોને હજુ થોડી પ્રતિક્ષા કરવી પડશે. કારણે કે કોરોનાના સંક્રમણને લઈને મંદિર વ્યવસ્થાએ 11 જૂન સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર (Ambaji Temple) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 03, 2021 | 6:13 PM

BANASKANTHA: માતાના દર્શન માટે ભક્તોને હજુ થોડી પ્રતિક્ષા કરવી પડશે. કારણે કે કોરોનાના સંક્રમણને લઈને મંદિર વ્યવસ્થાએ 11 જૂન સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર (Ambaji Temple) બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

 

આપને જણાવી દઈએ કે આગાઉ 4 જૂન સુધી જ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને 11 જૂન સુધી લંબાવ્યો છે. જેથી માતાના દર્શનની આતુરતાથી રાહ જોતા ભક્તોને થોડી વધુ પ્રતિક્ષા કરવી પડશે. રાજ્યભરમાં કોરોનાના આંકડાઓ સતત ઘટતા રહ્યા છે અને સ્થિતિ થોડી સુધરી છે.

 

પરંતુ આ બધાની વચ્ચે પણ સાવચેતીના ભાગરૂપે મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામા આવ્યું છે. આપને જણાવી દઈએ કે રાબેતા મુજબ મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા-આરતી ચાલુ રાખવામા આવશે.

 

હવે રાજ્યમાં સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે

રાજયના મુખ્યપ્રધાનને ધંધા-રોજગાર અને વેપારીઓ માટે સારા સમાચાર આપ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

 

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

 

આ પણ વાંચો : Surat : કોરોનાનું સંક્ર્મણ ઘટતા આવતા અઠવાડિયાથી આ પ્રોજેક્ટોને ખોલવામાં આવે તેવી શક્યતા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">