AHMEDABAD : વિરમગામના કારિયાણા ગામની કેનાલમાં 8 વર્ષથી નથી છોડવામાં આવ્યું પાણી

વિરમગામમાં કારિયાણા ગામના ખેતરોની વચ્ચો વચ્ચથી નર્મદાની કોઇન્તીયા બોસ્કા-ગોરૈયા શાખાની માઇનોર કેનાલ છેલ્લા 8 વર્ષોથી બનાવી છે. પરંતુ આ કેનાલમાં આજ સુધી પાણી નહીં છોડાયું જ નથી..

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 3:37 PM

AHMEDABAD : સામાન્ય રીતે ખેતર નજીકથી કેનાલ પસાર થતી હોય તો ખેડૂતો માટે કેનાલ આશીર્વાદરૂપ હોય છે. અન્નદાતાની ખુશીઓનો કોઈ પાર ન હોય.પરંતુ વિરમગામ (Viramgam)ના કારિયાણા ગામ (Kariyana village) ના ખેડૂતો માટે કેનાલ અભિશાપરૂપ બની ગઈ છે.  આ ગામના ખેતરોની વચ્ચો વચ્ચથી નર્મદાની કોઇન્તીયા બોસ્કા-ગોરૈયા શાખાની માઇનોર કેનાલ છેલ્લા 8 વર્ષોથી બનાવી છે. પરંતુ આ કેનાલમાં આજ સુધી પાણી નહીં છોડાયું જ નથી.. બીજી બાજુ ચાલુ વર્ષે વરસાદ પણ પડ્યો નથી.એટલે ખેડૂતોનાના ખેતરોમાં ઉભો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે.. ત્યારે જો આ કેનાલમાં નર્મદાનું પાણી છોડાઈ તો ધરતીપુત્રોનો મહામુલો પાક બચી જાય.

જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો વિરમગામના કારિયાણા ગામ અને આસપાસના ગામોમાં હજારો હેક્ટર જમીનમાં એરંડા,જુવાર,ઘઉં જીરું સહિતના પાકને નવજીવન મળે અને ખેડૂતોની મહેતન એળે ન જાય.આ પંથકના ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર તેની વાત સાંભળતું નથી.. જો હવે પાણી છોડાશે નહીં તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે.

વિરમગામમાં ગત વર્ષની તુલનાએ ઓછો વરસાદ પડ્યો છે.અત્યાર સુધી સીઝનનો માત્ર 146 MM વરસાદ પડ્યો છે..વરસાદ ખેંચાઈ જતા કપાસ, એરંડા, ડાંગર, જુવાર, બાજરી, તલ સહિતના પાકો પર જોખમ મંડરાઈ રહ્યું છે..ખેતરોમાં મૂરઝાતી મોલાતને જીવનદાન આપવા પાણીની તાતી જરૂરિયાત છે.આ અગાઉ પણ ખેડૂતોએ સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાથી ઘોડા ફીડર કેનાલમાં સિંચાઇનું પાણી છોડવા ખેડૂતો માગ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇને ઉત્સાહનો માહોલ, ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે

 

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">