AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: થોડા વરસાદમાં જ ફરી શેલામાં ધોવાયો રસ્તો, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી- Video

અમદાવાદના ડેવલપ્ડ વિસ્તારોમાં ગણાતા શેલા વિસ્તારમાં ફરી રસ્તો ધોવાયો છે. રસ્તા પર ઠેર ઠેર કમરતોડ ખાડા પડ્યા છે જેના કારણે વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ જ રસ્તે અગાઉ પણ વિશાળકાળ ભુવો પડ્યો હતો.

Jignesh Patel
| Edited By: | Updated on: Jul 29, 2024 | 4:05 PM
Share

અમદાવાદમાં ફરી શેલા વિસ્તારમાં રસ્તો ધોવાયો છે. સવારથી શરૂ થયેલા થોડા વરસાદમાં જ શેલામાં રોડ ધોવાઈ ગયો છે. હજુ મહિના પહેલા જ આ વિસ્તારમાં વિશાળકાય ભુવો પડ્યો હતો અને રસ્તા પર ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ખાડા પડ્યા હતા. શહેરના ડેવલપ્ડ વિસ્તારમાં ગણાતો આ રોડ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે અને ઠેકઠેકાણે કમરતોડ ખાડા પડ્યા છે. વાહનચાલકો આ ખાડામાંથી પસાર થવા મજબુર બન્યા છે.

શેલા વિસ્તારના રસ્તાઓને જોતા તો એવુ લાગે કે અમ્યુકો ના અધિકારીઓ જાણે નાગરિક શાસ્ત્ર ભણ્યા જ નથી. જે લોકો ટેક્સ ભરે છે તેમને સારી સુવિધા સુવિધા પણ મળી રહે તે જોવાની ફરજ અમ્યુકો.ની છે પરંતુ રોડ રસ્તાના કામમાં માનીતા અને મળતિયા કોન્ટ્રાક્ટ્રરોને કોન્ટ્રાક્ટ ફાળવી દઈ ભાગબટાઈનો ખેલ ચાલે છે. રોડ-રસ્તાના કામમાં કરોડોના ટેન્ડર પાસ કરાવી હલ્કુ મટિરીયલ વાપરી રોડ બનાવી દેવામાં આવે છે, જેના કારણે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ અને ભુવાઓ પડે છે.

અગાઉ શેલા વિસ્તારમાં પડેલા ભુવા અંગે ગુજરાત હાઈકોર્ટે પણ અમ્યુકોની પોલ ખુલ્લી પાડી હતી. શેલામાં રોડ રસ્તા, ખાડા અને ભુવાને લઈને કામગીરી કરી હોવાના કોર્પોરેશને દાવા કર્યા હતા. જેના પર કોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી અને પોલ ખુલ્લી પાડતા કહ્યુ હતુ કે શેલામાં હજુ અગાઉ પડેલા ભુવા અને રસ્તા પરના ખાડા દૂર થયા નથી. એક બાજુનો રોડ હજુ બંધ જ છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કોઈ કામગીરી થઈ નથી અને હજુ અહીં ડ્રેનેજની કોઈ સુવિધા નથી. આ વિસ્તારમાં પ્રોપર્ટીના કરોડોમાં ભાવ ચાલે છે અને રસ્તા પર પાણીના નિકાલની કોઈ સુવિધા જ નથી. ત્યારે હાલ શેલા વિસ્તારમાં લોકો દુર્દશામાં જીવવા મજબુર બન્યા છે. અગાઉ પડેલા ભુવાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી. એકસાઈડનો રસ્તો પુરો બંધ છે, જે રસ્તો ચાલુ છે ત્યાં મોટી માત્રામાં પાણી ભરાયા છે અને કમરતોડ ખાડા પડેલા છે ત્યારે આ સમસ્યામાંથી કોર્પોરેશન ક્યારે લોકોને મુક્તિ આપે છે તે જોવુ રહ્યુ !

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">