AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાંથી 450 બાંગ્લાદેશી ઘૂસણખોરોને કરાશે ડિપોર્ટ, સૌથી વધુ અમદાવાદમાંથી 200ને હાંકી કઢાશે

રાજ્યમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓને પરત તગેડવાની તૈયારી કરી લેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી 450 જેટલા ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે. જેમા 200 બાંગ્લાદેશી તો એકલા અમદાવાદમાંથી ઝડપાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2025 | 9:03 PM
Share

ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને ગુજરાતમાંથી અત્યાર સુધી 450થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બનશે કે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ડિપોર્ટેશનની કાર્યવાહી કરાશે. તો ગુજરાતમાં સૌથી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી 200 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે.

તો બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાંથી 200, અમદાવાદ ગ્રામ્યમાંથી 29, સુરતમાંથી 100, સુરત ગ્રામ્યમાંથી 77, રાજકોટમાંથી 15 અને વડોદરામાંથી 16 બાંગ્લાદેશીઓને તગેડી મૂકવામાં આવશે.

આપને જણાવી દઈએ કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમા આખેઆખુ મીની બાંગ્લાદેશ ઉભુ કરી દેવામાં આવ્યુ હતુ. અહીં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વસી રહ્યા હતા. ગેરકાયદે આવેલા આ ઘૂસણખોરોએ વોટર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ સુદ્ધા બનાવી લીધા હતા. જો કે આ તમામની ઓળખ કરીને તેમને પરત મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદમાંથી 200 બાંગ્લાદેશી ઝડપાયા છે. રાજ્યભરમાં આવા ઘૂસણખોરો બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">