AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જગન્નાથ પુરીની સ્નાન યાત્રાનું શું છે રહસ્ય ? જાણો જેઠ પૂર્ણિમાના મહાભિષેકનું સંપૂર્ણ સત્ય

જગન્નાથ પુરીમાં (Jagannath Puri)જેઠ સુદ પૂનમ "સ્નાન પૂર્ણિમા" તરીકે ઉજવાય છે. જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરાય છે. અને પછી તેમને 108 કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે.

Avani Trivedi
| Edited By: | Updated on: Jun 05, 2023 | 2:10 PM
Share

જેઠ સુદ પૂર્ણિમાનો અવસર એટલે શ્રીકૃષ્ણ મંદિરોમાં જ્યેષ્ઠાભિષેકનો અવસર. આ દિવસે શ્રીકૃષ્ણના વિધ વિધ સ્વરૂપોને પંચામૃત, ઔષધિઓ તેમજ વિવિધ તીર્થોના જળથી સ્નાન કરાવવામાં આવે છે. તો કળિયુગમાં સાક્ષાત કૃષ્ણ રૂપ એવાં જગન્નાથજી માટે પુરીમાં સ્નાન યાત્રાનું આયોજન થાય છે. ત્યારે આવો જાણીએ કે આ સ્નાન યાત્રા સાથે શું રહસ્ય જોડાયેલું છે.

સ્નાન પૂર્ણિમાનો મહિમા

જગન્નાથ પુરીમાં જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એ “સ્નાન પૂર્ણિમા” તરીકે ઉજવાય છે. આ દિવસે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરવામાં આવે છે. અને પછી તેમને 108 કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે. પ્રભુ જગન્નાથજીનો આ મહાભિષેક જ્યેષ્ઠાભિષેકના નામે પણ ખ્યાત છે. તેમના આ મહાભિષેકના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.

કેવી રીતે થયો જ્યેષ્ઠાભિષેકનો પ્રારંભ ?

પ્રચલિત કથા અનુસાર તેમની લીલાઓના લીધે શ્રીકૃષ્ણ વ્રજવાસીઓમાં અત્યંત લોકપ્રિય બની ગયા હતા. ત્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા નંદબાબાએ વ્રજકુંવર કૃષ્ણને વ્રજના રાજા બનાવવાનો નિર્ણય લીધો. તેમણે રાજ્યાભિષેક માટે કુળગુરુ ગર્ગાચાર્યજી પાસે શુભ મુહૂર્ત જોવડાવ્યું. પણ, ત્યારબાદ શું થયું ? તે જાણવા અહીં ક્લિક કરો. 

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
g clip-path="url(#clip0_868_265)">