Ramayan Katha : રામાયણ કાળના ભગવાન શિવના દિવ્ય ધનુષના રહસ્યની કથા, વાંચો આ પોસ્ટમાં

Ramayan Katha: સીતા સ્વયંવરની શરત મૂજબ, એક ખાસ પ્રકારના દિવ્ય ધનુષને તોડનારા રાજા સાથે જ સીતાજીના વિવાહ સંપન્ન થશે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: May 26, 2021 | 9:50 AM

Ramayan Katha : રામાયણના બધા પાત્રો અને તેના પ્રસંગો ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયક છે. રામાયણનો આવો જ એક પ્રસંગ એટલે સીતા સ્વયંવર.

સીતા સ્વયંવરની શરત મૂજબ, એક ખાસ પ્રકારના દિવ્ય ધનુષને તોડનારા રાજા સાથે જ સીતાજીના વિવાહ સંપન્ન થશે. આ શરત સાંભળવામાં તો એકદમ સરળ લાગે છે. પૌરાણિક સમયમાં જે સ્વયંવર થતા હતા, તેમાં આ પ્રકારની જ શરતો રાખવામાં આવતી હતી. પરંતુ સીતાજીના સ્વયંવરનું ધનુષ વિશેષ અને રહસ્યમય હતું.

લોકો સીતા સ્વયંવર વિશે તો જાણતા હોય છે, પરંતુ તે દિવ્ય ધનુષ વિશે જાણતા નથી. આ ધનુષ કોનું હતું અને જનક રાજા પાસે કેવી રીતે આવ્યું? સ્વયંવરમાં અનેક શક્તિશાળી રાજાઓની ઉપસ્થિતિ હોવા છતાં પણ, માત્ર ભગવાન શ્રી રામે જ આ ધનુષ કેમ તોડ્યું?

આવા સવાલોના જવાબો મળશે આજની આ કથામાં.

જનક રાજાના મહેલમાં જે ધનુષ રાખવામાં આવ્યું હતું, તે ભગવાન શિવનું ધનુષ હતું. એક સમયે જનક રાજાના પુત્રી સીતાજીના સ્વયંવરની ઘોષણા કરવામાં આવી. સ્વયંવરમાં શરત એ હતી કે, સ્વયંવરમાં ઉપસ્થિત જે પણ વ્યક્તિ ભગવાન શિવજીના દિવ્ય ધનુષની પ્રત્યંચા ચઢાવશે તેની સાથે સીતાજીના વિવાહ થશે.

ભગવાન શિવનું આ ધનુષ ઉચ્ચત્તમ તકનીકથી બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, આ ધનુષ તે સમયનું પરમાણુ મિસાઇલ કે બ્રહ્માસ્ત્ર છોડવાનું એક યંત્ર હતું. તમે જાણો છો કે, રાવણ એક વિદ્વાન અને ઉત્તમ શિવ ભક્ત હતો. રાવણની નજર આ ધનુષ પર હતી અને તેમને પૂરો વિશ્વાસ હતો કે, તે મોટો શિવ ભક્ત છે, તેથી ધનુષની પ્રત્યંચા ચઢાવવામાં સફળ થશે. પરંતુ જો ભગવાન શિવનું આ ધનુષ રાવણ પાસે આવી જાય તો તે વિનાશ સર્જી શકે છે.

આ ધનુષનો પ્રયોગ કરવાની વિધિ માત્ર ચાર લોકો જાણતા હતા. એક રાજા જનક, બીજા તેમના પુત્રી સીતાજી, ત્રીજા આચાર્ય વિશ્વામિત્રજી અને ચોથા ભગવાન પરશુરામ. આ શક્તિશાળી ધનુષ રાવણના હાથમાં ના આવે તે માટે વિશ્વામિત્રજીએ પહેલાથી જ ભગવાન શ્રી રામને આ ધનુષ ચલાવવાની વિધિ અને પદ્ધતિ કહી હતી.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Ramayan Katha: રાવણના મૃત્યુ સાથે જોડાયેલી સીતાજીનાં દિવ્ય ચુડામણિ અંગે ખબર છે? વાંચો આ રસપ્રદ વાત

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">