Mythology : આ ગામમાં નથી કરવામાં આવતી હનુમાનજીની પૂજા ! જાણો તેનું કારણ ! વાંચો આ અહેવાલ

Mythology : હનુમાનજી હિન્દુઓના મુખ્ય દેવતાઓમાંના એક છે અને તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીનો વિશેષ આદર કરવામાં આવે છે અને તેમના સ્વામી ભગવાન શ્રી રામની સમકક્ષ માનવામાં આવે છે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jun 05, 2021 | 8:02 AM

Mythology : હનુમાનજી હિન્દુઓના મુખ્ય દેવતાઓમાંના એક છે અને તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીનો વિશેષ આદર કરવામાં આવે છે અને તેમના સ્વામી ભગવાન શ્રી રામની સમકક્ષ માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને ડર લાગે છે ત્યારે તે હનુમાન ચાલીસાને યાદ કરે છે અને તેનો ડર દૂર થઈ જાય છે.

બજરંગબલીને શક્તિના દેવ માનવામાં આવે છે અને તુલસીદાસજીની રામાયણ મુજબ તે કળિયુગમાં પણ જીવત છે અને ભક્તો પર કૃપા કરે છે. હનુમાનજી વિશેની આ બધી બાબતો તેમને ભક્તોના પ્રિય બનાવે છે. પરંતુ ભારતમાં એક એવું ગામ પણ છે, જ્યાં તમામ રહેવાસીઓ પવનપુત્રથી નારાજ છે અને તેમની ક્યારેય પૂજા કરતા નથી. આ સાંભળીને અજીબ લાગે છે કે ભક્ત ભગવાનથી નારાજ છે? પરંતુ તે સત્ય હકીકત છે અને તેના પાછળ એક કારણ પણ છે. તો ચાલો આપણે તેનું કારણ જાણીએ.

રામાયણની આ ઘટના વિશે તમે સાંભળ્યું જ હશે. રાવણન પુત્ર મેઘનાદે ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણને યુદ્ધમાં ઘાયલ કર્યા હતા. લક્ષ્મણને બચાવવા એક ચમત્કારિક સંજીવની બૂટીની જરૂર હતી અને બજરંગબલી હિમાલયના દ્રોણ પર્વત પર તેની શોધમાં જાય છે. પરંતુ સંજીવની બુટીની ઓળખ ન હોવાને કારણે હનુમાનજી આખો પર્વત જડમૂળથી ઉપાડી લે છે.

ઉત્તરાખંડના દ્રોણગિરી ગામમાં રહેતા ગ્રામજનો દ્રોણ પર્વતને હનુમાનજી દ્વારા જડમૂળથી ઉખાડી લેવા માટે આજ દિન સુધી નારાજ છે. ગામમાં ઘણા મંદિરો આવેલા છે, પરંતુ ત્યાં કોઈ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા સ્થાપિત થઈ નથી.

આ ગામમાં દ્રોણ પર્વતની પૂજા કરવામાં આવે છે અને અહીં યોજાતા ‘જાગર મહોત્સવ’ માં આ પર્વતની ‘દેવપ્રભાત’ નામથી પૂજ-અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રામભક્ત હનુમાનજીએ પર્વતનો એક ભાગ ઉખાડી અને તેને ખંડિત કર્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે ગામલોકોને બજરંગબલીના ઇરાદાની જાણ થઈ ત્યારે તેઓએ પર્વતને છુપાવી દીધો હતો. પરંતુ હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આવ્યા અને કપટ કરી પર્વતનો એક ભાગ ઉખાડી લઈ ગયા હતા.

એક દંતકથા અનુસાર તે ગામની એક વૃદ્ધ મહિલાએ હનુમાનને સંજીવની બૂટી સુધી જવાનો માર્ગ બતાવ્યો હતો. આથી ગ્રામજનોએ તે વૃદ્ધ મહિલાનો બહિષ્કાર કર્યો હતો. આથી જ વર્તમાન સમયમાં પણ દ્રોણ પર્વતની પૂજામાં મહિલાઓને શામેલ કરવામાં આવતી નથી.

દ્રોણગિરી ગામમાં ભગવાન શ્રી રામની પૂરી આસ્થાથી પૂજા કરવામાં આવે છે. અન્ય શહેર અને ગામની જેમ જ અહીં રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ તેમાં હનુમાનજીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. આ રામલીલામાં ભગવાન શ્રી રામના જન્મ, શ્રી રામ-સીતાજીના વિવાહ અને શ્રી રામના રાજ્યાભિષેક સુધીના પ્રસંગો દર્શાવવામાં આવે છે. દ્રોણ પર્વત સાથે ગામલોકોની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Mythology : શું કાલીમાતા ખરેખર બલી આપવાથી રીઝે ? જાણો આ અહેવાલમાં કાલીમાતા સાથે બલીની જોડાયેલી સત્યતા

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">