AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલ-અક્સા મસ્જિદમાં ઈમામનું વિવાદિત નિવેદન, કહ્યું સમલૈંગિકતાના કારણે ફેલાયો ઓમિક્રોન

પેલેસ્ટાઈનના ઈસ્લામિક ઈમામ શેખ ઈસ્સામ અમીરાએ કહ્યું છે કે મુસ્લિમ શાસકો સમલૈંગિકતાને પ્રોત્સાહન આપતા હોવાથી ઓમિક્રોન ફેલાય છે. ઈમામે મુસ્લિમોને શાસકો સામે એક થવાનું પણ કહ્યું છે.

અલ-અક્સા મસ્જિદમાં ઈમામનું વિવાદિત નિવેદન, કહ્યું સમલૈંગિકતાના કારણે ફેલાયો ઓમિક્રોન
Imam Sheikh Issam Amira (Photo-Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 2:05 PM
Share

પેલેસ્ટાઈન(Palestine)ના ઈસ્લામિક ઈમામ શેખ ઈસ્સામ અમીરા(Islamic Imam Sheikh Issam Amira)એ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron)ને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઈઝરાયેલ (Israel)ના મુસ્લિમ શાસકોના ખોટા વર્તનને કારણે કોરોના વાયરસ અલગ-અલગ સ્વરૂપોમાં ફેલાઈ રહ્યો છે.

જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં સંબોધન દરમિયાન, તેમણે કહ્યું કે શાસકો સમલૈંગિકતાને મંજૂરી આપે છે અને નારીવાદી સંગઠનોને અનુસરે છે, તેથી કોરોના ઓમિક્રોન સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં ફેલાયો છે.

..તો ન ફેલાતો કોરોના વાયરસ

સંબોધનનો વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં અમીરા લોકોની વચ્ચે ઊભા છે અને મુસ્લિમ શાસકો અને મીડિયાને નિશાન બનાવી રહ્યા છે. તેઓ લોકોને કહી રહ્યા છે કે આ આફત સર્જનાર શાસકો સામે તમામ મુસ્લિમોએ એક થવું જોઈએ. તેઓ એમ પણ કહેતા જોવા મળે છે કે જો સરકાર અને મીડિયા લોકોને વાયરસ વિશે નહીં જણાવે તો આ વાયરસ ફેલાશે નહીં.

વીડિયોમાં અમીરા કહે છે, ‘આ નફરત શા માટે ફેલાઈ છે? શા માટે કોરોના વાયરસ ઓમિક્રોન વેરિઅન્ટ સાથે ફેલાય છે? આ કયા નામો છે, આ રોગ, જે આપણા પૂર્વજો જાણતા ન હતા? કારણ સ્પષ્ટ છે. લોકોમાં અનૈતિકતા આટલી હદે ક્યારેય ફેલાઈ નથી કે તેઓ બધાને કેતા ફરે. તો પછી આ બધી વાતો કોણે ફેલાવી? સામાન્ય લોકો? ના, આ મીડિયાનું કામ છે, જે આ વાતો દરેકને કહે છે.

સમલૈંગિકતાને કારણે કોરોના ફેલાય છે

તેઓએ મુસ્લિમ શાસકો પર નિશાન સાધતા કહ્યું, ‘આ આપણા શાસકોને કારણે ફેલાય છે જેઓ સમલૈંગિકતાને મંજૂરી આપે છે અને પ્રોત્સાહિત કરે છે. તે આપણા શાસકોને કારણે ફેલાય છે જેઓ નારીવાદી સંગઠનોને અનુસરે છે, CEDAW (મહિલાઓ સામેના ભેદભાવ દૂર કરવા માટેની સમિતિ) (Convention on the Elimination of All Forms of Discrimination Against Women) મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવ દૂર કરવા માટેનું સંમેલન) અને લૈંગિક મુદ્દાઓ પર વાત કરે છે… આ બધા રોગોના ફેલાવાના આશ્રયદાતા છે, જે આપણા પૂર્વજોમાં અસ્તિત્વમાં ન હતા.

‘મુસ્લિમ શાસકો સામે તમામ મુસ્લિમોએ એક થવું જોઈએ’

પેલેસ્ટિનિયન ઇમામનું કહેવું છે કે મુસ્લિમ શાસકોના કારણે જ કોરોના જેવી આફત આવી છે, તેથી તમામ મુસ્લિમોએ તેમની સામે એક થવું જોઈએ. તેમણે કહ્યું કે ક્રૂર શાસકો સામે વ્યક્તિગત અને સામૂહિક રીતે તમામ મુસ્લિમોના પ્રયાસોને એક કરવા જરૂરી છે. આ શાસકો આપણા પર આ આફત લાવ્યા છે.

સોશિયલ મીડિયા પર ટીકા

શેખ ઈસ્સામ અમીરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે અને લોકો તેની ટીકા કરી રહ્યા છે. અમેરિકન લેખક રોબર્ટ સ્પેન્સરે પણ એક ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘અલ-અક્સા મસ્જિદના મુસ્લિમ વિદ્વાન કહ્યું- અલ્લાહે ઈઝરાયેલ અને સમલૈંગિકતાને કારણે ઓમિક્રોન વેરિઅન્ટ મોકલ્યો’ અમેરિકન મેગેઝિન રેમ્પાર્ટ્સના એડિટર ડેવિડ હોરોવિટ્ઝે રોબર્ટ સ્પેન્સરના ટ્વિટને રિટ્વીટ કરતા લખ્યું, ‘ઘાતક ધર્માંધતા.’

ટ્વિટર યુઝર્સ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સરહત નામના યુઝરે લખ્યું, ‘તે 5મી સદીમાં જીવે છે.’ કેટાલિના નામના યુઝરે ટોણા મારતા લખ્યું, ‘આ લોકો કોમેડિયન કરતા સારા છે.’

વિવાદિત નિવેદનના કારણે જેલ પણ જઈ ચૂક્યા છે અમીરા

આ પહેલીવાર નથી કે જ્યારે શેખ ઈસમ અમીરાએ વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા વર્ષ 2020માં તેણે પોતાના વિવાદિત નિવેદનને કારણે જેલ પણ જઈ ચૂક્યા છે. હકીકતમાં, ઇઝરાયલની પોલીસે પ્રોફેટ મોહમ્મદનું કાર્ટૂન બનાવવા માટે ફ્રેન્ચ શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા અને શિરચ્છેદની પ્રશંસા કર્યા પછી તેની ધરપકડ કરી હતી. તેને અલ-અક્સા મસ્જિદમાં પણ છ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ આપ્યું હતું વિવાદિત નિવેદન

વર્ષ 2017માં જ્યારે તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વના દેશોની મુલાકાતે હતા ત્યારે પણ અમીરાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અહીંના નેતાઓએ ટ્રમ્પને આવકારતાં કહેવું જોઈએ, ‘ચાલ્યા જાવ! તમારા માટે અમારી પાસે માત્ર અમારી તલવારો છે.’

આ પણ વાંચો: Expert Advice: ફળના છોડનો નવો બગીચો ઉગાડવાનો યોગ્ય સમય ? શું છે બાગાયતશાસ્ત્રીઓની સલાહ

આ પણ વાંચો: મધ કેમ બગડતું નથી અને મધમાખી તેને કેવી રીતે બનાવે છે ? કેવી રીતે છે આટલું અસરકારક, આ છે તેની પાછળનું વિજ્ઞાન

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">