મૃત્યુ પછી ફરી સંભળાયો Sidhu Moose Walaનો અવાજ! લાખો લોકોએ લખ્યું-“વી મિસ યુ”
Sidhu Moose Wala માત્ર ગાયક જ નહોતા પરંતુ તેઓ ગીતકાર અને સંગીતકાર પણ હતા. આ ગીતમાં તેણે પોતાનો અવાજ તો આપ્યો જ છે પરંતુ તેણે પોતે જ આ ગીતના લિરિક્સ પણ લખ્યા છે અને ગીતને કમ્પોઝ પણ કર્યું છે.
પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moose Wala) મૃત્યુના 26 દિવસ બાદ તેમનું છેલ્લું ગીત ‘SYL’ રિલીઝ થયું છે. સિદ્ધુ મૂસેવાલા પોતાના ગીતો દ્વારા પોતાના મનની વાત કરતા હતા. તેનું લેટેસ્ટ રિલીઝ થયેલું ગીત તેનો પુરાવો છે. વાસ્તવમાં, ‘SYL’ મૂળભૂત રીતે સતલજ-યમુના લિંકની ટૂંકી આવૃત્તિ છે. આ ગીતમાં નદીના પાણી અંગે પંજાબના અધિકારોની વાત કરવામાં આવી છે. આ ગીતમાં તે શીખ કેદીઓ વિશે પણ વાત કરવામાં આવી છે, જેમને કથિત ખોટા આરોપો હેઠળ સજા કરવામાં આવી હતી.
સિદ્ધુ મૂસેવાલાનું છેલ્લું ગીત રિલીઝ
મૂસેવાલાના ગીત ઘણા સામાજિક મુદ્દાઓ ઉઠાવે છે. આ ગીત સિદ્ધુ મૂસેવાલાની લાગણીઓ અને તે તમામ તથ્યોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ છે જે લગભગ દરેક જણ ભૂલી જાય છે. સિદ્ધુ મૂસેવાલાનું આ ગીત તેમની યુટ્યુબ ચેનલ પર 23 જૂન ગુરુવારે સાંજે 6 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. 4 મિનિટ 9 સેકન્ડના આ ગીતને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને આ આંકડો ઘણો આગળ વધવાનો છે. આ ગીત પર 1 લાખથી વધુ લોકોએ કોમેન્ટ પણ કરી છે.
‘સતલુગ-યમુના લિંક’ કેનાલને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેને સિદ્ધુ મૂસેવાલાએ પોતાના ગીત દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો છે. આ ગીતની શરૂઆતમાં આમ આદમી પાર્ટી (AAP)ના હરિયાણા પ્રભારી સુશીલ ગુપ્તાનું નિવેદન બેકગ્રાઉન્ડમાં વગાડવામાં આવ્યું છે, જેમાં તેઓ વર્ષ 2024માં પંજાબની જેમ હરિયાણામાં પણ સરકાર બનાવે તો ‘SYL’નું પાણી મેળવવાની વાત કરતાં દેખાય છે.
અનેક સામાજિક મુદ્દાઓને ગીતો દ્વારા ઉઠાવ્યા
આ સાથે ગીતમાં પંજાબીઓના ગૌરવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતના વીડિયોમાં ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલન દરમિયાન દિલ્હીની મુસાફરીના કેટલાક શોટ્સ પણ દર્શાવવામાં આવ્યા છે. આ સાથે લાલ કિલ્લા પર શીખ સમાજના પ્રતિક નિશાન સાહિબ ફરકાવવાની પણ પ્રશંસા કરવામાં આવી છે.
સિદ્ધુ મૂસેવાલાનું ‘SYL’ અહીં જુઓ..
પરિવારે આ ગીત કર્યું રજૂ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલા માત્ર એક ગાયક જ નહીં પરંતુ તેઓ ગીતકાર અને સંગીતકાર પણ હતા. આ ગીતમાં તેણે પોતાનો અવાજ તો આપ્યો જ છે પરંતુ તેણે પોતે જ આ ગીતના લિરિક્સ પણ લખ્યા છે અને ગીતને કમ્પોઝ પણ કર્યું છે. આ સિદ્ધુ મૂસેવાલાનું ગીત છે જે તેઓ જીવતા હતા ત્યારે રિલીઝ ન કરી શક્યા. જો કે, તેમના ગયા પછી, તેમના પરિવારે આ ગીત રિલીઝ કરવાનું નક્કી કર્યું.