AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshabandhan: આ રક્ષાબંધન પર સર્જાયો શુભ સંયોગ ! જાણો, ભાઈને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત

આ વખતે સારી બાબત એ છે કે રક્ષાબંધન પર કોઈ અશુભ યોગ નથી. ઉપરથી રક્ષાબંધન પર બે શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આ સંયોગ એટલે શોભન યોગ અને ધનિષ્ઠા યોગ.

Rakshabandhan: આ રક્ષાબંધન પર સર્જાયો શુભ સંયોગ ! જાણો, ભાઈને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત
શ્રેષ્ઠ મુહૂર્તમાં રાખડી બાંધવાથી થશે શુભ ફળની પ્રાપ્તિ
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 21, 2021 | 3:47 PM
Share

ભાઈ-બહેનની પ્રિતનો પર્વ રક્ષાબંધન (rakshabandhan) દર વર્ષની શ્રાવણી પૂનમે ઉજવાતો હોય છે. આ વખતે આ અવસર 22 ઓગષ્ટ, રવિવારના રોજ છે. આમ તો પૂર્ણિમાનો સમગ્ર દિવસ રાખડી બાંધવા માટે શુભ મનાય છે. પણ, ક્યારેક જો ભદ્રાકાળનો યોગ સર્જાયો હોય, તો જ રાખડી કયા સમયમાં બાંધવી તેને લઈને મૂંઝવણ ઉભી થતી હોય છે. આ વખતે સારી બાબત એ છે કે આ રક્ષાબંધન પર આવો કોઈ અશુભ યોગ નથી. ઉપરથી રક્ષાબંધન પર બે શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આ સંયોગ એટલે શોભન યોગ અને ધનિષ્ઠા યોગ.

શોભન યોગ શોભન યોગ રવિવારે સવારે 10:34 સુધી રહેશે. આ યોગ માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ મનાય છે. એટલે, શક્ય હોય તો આ યોગ દરમિયાન જ રાખડી બાંધવી. તો, આ સમય દરમિયાન કરેલી યાત્રા પણ કલ્યાણકારી મનાય છે. એટલે કે, આ સમયમાં રાખડી બાંધવા માટે બહેન ભાઈના ઘરે કે ભાઈ બહેનના ઘરે જવા મુસાફરી કરી શકે છે.

ધનિષ્ઠા યોગ રવિવારે સાંજે 7:40 સુધી ધનિષ્ઠા યોગ રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે. તો, આ નક્ષત્રમાં જન્મેલા લોકોને તેમના ભાઈ-બહેન પ્રતિ સવિશેષ પ્રેમ હોય છે. એટલે આ નક્ષત્રમાં પડતી રક્ષાબંધન ભાઈ-બહેનના પરસ્પરના પ્રેમને વધારશે તેવી માન્યતા છે.

આમ તો આ વખતે કોઈ દૂષિત યોગ ન હોઈ આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. છતાં, જો સર્વોત્તમ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધવામાં આવે તો તે ભાઈ અને બહેન બંન્ને માટે વધુ ફળદાયી બની રહેશે. કેટલાંક લોકો મુહૂર્ત જોઈને જ રાખડી બાંધવાના આગ્રહી હોય છે. ત્યારે આવો જાણીએ, શુભ ચોઘડીયા અનુસાર રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત.

શ્રેષ્ઠ મુહૂર્ત રવિવાર, 22 ઓગષ્ટ સવારે 7:55 થી બપોરે 12:40 સુધી બપોરે 2:25 થી બપોરે 4:00 સુધી

રાખડી બાંધવાના આ સર્વોત્તમ મુહૂર્ત છે. આ સિવાય સાંજના સમયે પણ રાખડી બાંધી શકાય.

આ પણ વાંચોઃ શું તમે દેવતાઓને બાંધો છો રાખડી ? એક રક્ષાસૂત્રથી દેવતા દેશે સુખી જીવનના આશિષ ! આ પણ વાંચોઃ શું તમને ખબર છે રાખડી બાંધતી વખતે બોલવાનો આ મંત્ર ? એક મંત્ર કરશે ભાઈની રક્ષા !

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">