AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્લાઈટમાં લોકોએ ગાયું રામ આયેંગે ભજન, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ‘રામના રંગમાં રંગાણા દેશવાસીઓ, જુઓ વીડિયો

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહ માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 7,000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ અને દેશભરમાંથી મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક ફ્લાઈટનો છે, જેમાં લોકો 'રામ ભજન' ગાઈ રહ્યા છે.

ફ્લાઈટમાં લોકોએ ગાયું રામ આયેંગે ભજન, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 'રામના રંગમાં રંગાણા દેશવાસીઓ, જુઓ વીડિયો
| Updated on: Jan 14, 2024 | 4:54 PM
Share

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. રામ મંદિરમાં યોજાનાર આ કાર્યક્રમની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ સમગ્ર દેશનું વાતાવરણ રામનું બની ગયું છે. ધરતીથી આકાશ સુધી માત્ર રામનામનો પડઘો સંભળાય છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક ફ્લાઈટનો છે, જેમાં લોકો ‘રામ ભજન’ ગાઈ રહ્યા છે.

કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, રામ આયેંગેના પડઘા હવામાં ગુંજી રહ્યા છે! જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નજીક આવે છે અને જેમ જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા 11 દિવસની વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યું છે, દરેક રામ મય થઈ ગયા છે.

7,000થી વધુ મહેમાનોને આમંત્રણ

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 7,000થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ અને દેશભરમાંથી મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓનો સમાવેશ થાય છે. ભવ્ય સમારોહ પહેલા, ઉત્તર પ્રદેશ સરકાર અને અયોધ્યા પ્રશાસને તમામ તૈયારીઓ કરી લીધી છે અને પવિત્ર શહેરને આ દિવસ માટે શણગારવામાં આવી રહ્યું છે.

અયોધ્યા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા…

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સમારોહની તૈયારી કરી રહ્યું છે અને મંદિર પરિસરમાં સમારોહ સંબંધિત કાર્યોને પૂર્ણ કરવા માટે કાર્યકરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. સમારોહના દિવસે અયોધ્યા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે. મંદિર સંકુલ 23 જાન્યુઆરીથી લોકો માટે ખોલવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે અગાઉ કહ્યું હતું કે મંદિરમાં 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગ્યે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કરવામાં આવશે.

નેપાળના જનકપુરમાં પણ ઉત્સવ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની યાદમાં નેપાળના જનકપુરમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા નેપાળના જનકપુરમાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. જનકપુરને ભગવાન રામની પત્ની સીતા માતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. માતા સીતાનું બીજું નામ જાનકી છે, જે જનકપુરના રાજા જનકની પુત્રી હતા. જનકપુર કાઠમંડુથી 220 કિલોમીટર દક્ષિણપૂર્વમાં અને અયોધ્યાથી લગભગ 500 કિલોમીટર પૂર્વમાં આવેલું છે.

આ પણ વાંચો: બંગાળમાં સાધુઓને મારવા પર રામ મંદિરના મુખ્ય પૂજારીની તીખી પ્રતિક્રિયા, કહ્યું- તે મમતા બેનર્જી નથી પણ

g clip-path="url(#clip0_868_265)">