દેવીને આ રીતે અર્પણ કરો પ્રસાદ, તો જીવનમાં વરસશે ખુશીઓનો વરસાદ !

ઘણાં ઓછા શ્રદ્ધાળુઓને ખ્યાલ છે કે ચૈત્રી નવરાત્રી ( Chaitri Navratri ) અને આસો નવરાત્રીમાં ( Aso Navratri ) શ્રદ્ધાથી આઠમ-નોમના નૈવેદ્ય કરીને પણ નવદુર્ગાની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે.

દેવીને આ રીતે અર્પણ કરો પ્રસાદ, તો જીવનમાં વરસશે ખુશીઓનો વરસાદ !
આઠમ-નોમના નૈવેદ્યથી રીઝશે નવદુર્ગા !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 20, 2021 | 10:21 AM

નવરાત્રીનો (NAVRATRI) અવસર એટલે તો મા જગદંબાની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર. ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ વિવિધ પૂજા-વિધાન દ્વારા આદ્યશક્તિને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ પૂજા-વિધાન જેટલું જ મહત્વ તો દેવીને અર્પણ થતા પ્રસાદનું પણ છે. આ પ્રસાદને આપણે ભોગ કે નૈવેદ્ય કહીએ છીએ. નવરાત્રીના નવ દિવસોમાં પણ આઠમ-નોમના પ્રસાદનું એક આગવું જ મહત્વ છે. ઘણાં ઓછા શ્રદ્ધાળુઓને ખ્યાલ છે કે શ્રદ્ધાથી આઠમ-નોમના નૈવેદ્ય કરીને પણ નવદુર્ગાની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે.

મોટાભાગે શ્રદ્ધાળુઓ તેમના ઘરની પરંપરા અનુસાર દેવીને આઠમ-નોમના નૈવેદ્ય અર્પણ કરતા હોય છે. પણ, જો પરંપરા ખબર ન હોય તો આસ્થાથી ખીર, પૂરીનું નૈવેદ્ય દેવીને અર્પણ કરી શકાય. પણ, આ પ્રસાદ કરતા પણ વધુ મહત્વ પ્રસાદ બનાવવાની અને પ્રસાદ દેવીને અર્પણ કરવાની રીતનું છે. એટલે કે, સૌથી જરૂરી એ છે કે આ નૈવેદ્ય કેવાં ભાવ સાથે તૈયાર કરવું ? અને કેવાં ભાવ સાથે દેવીને અર્પણ કરવું ?

આઠમ-નોમનું નૈવેદ્ય બનાવવાની અને અર્પણ કરવાની વિધિ 1. સર્વ પ્રથમ તો નૈવેદ્ય બનાવતી વખતે સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

2. શક્ય હોય ત્યાં સુધી દેવી માટે ભોજન બનાવતી વખતે મૌન ધારણ કરવું.

3. કહે છે કે “જેવું મન તેવું અન્ન !” એટલે કે મનમાં જેવાં વિચાર હશે એવું જ ભોજન બનશે. અને જેવું ભોજન હશે તેવું ફળ દેવી પ્રદાન કરશે. એટલે કે, શુદ્ધ વિચાર સાથે અને દેવી નામનું રટણ કરતા ભોજન તૈયાર કરવું. મન જેટલું શુદ્ધ હશે એટલો જ પ્રસાદ શુદ્ધ બનશે.

4. આઠમ-નોમના નૈવેદ્યમાં તીખી વસ્તુ ન બનાવવી !

5. ભોગ તૈયાર થયા પછી દેવીની સન્મુખ એક બાજોઠ ગોઠવી તેના પર આસન પાથરી પછી તેના પર થાળ મૂકવો. ધ્યાન રાખો કે ભૂલથી પણ થાળ જમીન પર ન મૂકવો.

6. નૈવેદ્ય થાળની સાથે શુદ્ધ જળ ભરેલો પ્યાલો કે લોટો અચૂક મૂકો, અને તેમાં તુલસીપત્ર મૂકો.

7. બે હાથ જોડી દેવીને ભાવથી ભોજન ગ્રહણ કરવા વિનંતી કરો.

8. દેવીને આ નૈવેદ્ય અર્પણ કરતી વખતે એક વિશેષ મંત્રનો જાપ કરો.

નૈવેદ્ય અર્પણનો મંત્ર શર્કરાખંડખાદ્યાનિ, દધિક્ષિરધૃતાની ચ । આહારં ભક્ષ્યભોજ્યં ચ, નૈવેદ્યં પ્રતિ ગૃહ્યતામ્ ।।

દેવીને થાળ અર્પણ કર્યા બાદ તેને તરત ન લઈ લો. પ્રસાદની થાળીને દેવીની સન્મુખ દસેક મિનિટ રહેવા દો. ત્યારબાદ બે હાથ જોડી નતમસ્તક થઈને જ તે થાળ લો, અને પ્રસાદ સહુ કોઈ વહેંચી દો.

કહે છે કે આ વિધિ સાથે દેવીને થાળ અર્પણ કરવાથી મા દુર્ગા ભક્તને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એટલું જ નહીં, સમગ્ર નવરાત્રીનું પુણ્ય પણ પ્રદાન કરે છે.

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">