AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગજબ !! વાંદરો બન્યો વિલન, પોતાને પકડાવનાર વ્યક્તિ પાસે બદલો લેવા આ વાંદરાએ 22 કિમીનો પ્રવાસ કરી દીધો

Karnataka : ગુસ્સે થયેલા વાંદરાએ એક માણસનો બદલો લેવા 22 કિલોમીટરનો (Monkey Travelled 22 km) પ્રવાસ કર્યો છે. બીજા હુમલાના ડરથી, તે વ્યક્તિ છેલ્લા 8 દિવસથી તેના ઘરની બહાર આવ્યો નથી.

ગજબ !! વાંદરો બન્યો વિલન, પોતાને પકડાવનાર વ્યક્તિ પાસે બદલો લેવા આ વાંદરાએ 22 કિમીનો પ્રવાસ કરી દીધો
Monkey in karnataka travelled 22 kms to take revenge on a man
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 8:57 AM
Share

એક વિચિત્ર ઘટનામાં એક વાંદરો વિલન તરીકે સામે આવ્યો છે. ગુસ્સે થયેલા વાંદરાએ એક માણસ સાથે બદલો લેવા 22 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. અને હુમલાના ડરથી તે વ્યક્તિ છેલ્લા 8 દિવસથી તેના ઘરની બહાર આવ્યો નથી. તમે બધા જાણો છો કે આસપાસ ફરતી વખતે વસ્તુઓ છીનવી લેવી અથવા તોફાન કરવું એ વાંદરાઓનો સ્વભાવ છે. પણ બોનેટ મકાક પ્રજાતિનું આ વાનર થોડું વધારે વિચિત્ર છે.

રિપોર્ટ અનુસાર, આ ઘટના કર્ણાટકના ચિકમગલૂર જિલ્લાના કોટીગેહારા ગામની છે. આ સ્થળે વાંદરો શાળાની નજીક સામાન્ય રીતે ચાલતો હતો અને લોકોને હેરાન કરી રહ્યો હતો. આખરે વાંદરાએ વધુ હંગામો કરવાનું શરૂ કર્યું. જ્યાર બાદ શાળાના સત્તાધિશોએ વાંદરાને ફસાવવા માટે વન વિભાગમાં ફરિયાદ નોંધાવવી પડી હતી. વાંદરાને ફસાવવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એક આખી ટીમને બોલાવવી પડી અને તેમાં જગદીશ નામનો એક ઓટો ડ્રાઇવર હતો. ઓટો ડ્રાઈવર જગદીશને વાંદરાને ચીડવવાનું અને તેને ચોક્કસ દિશામાં ફેરવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેવામાં વાંદરો અચાનક તેની તરફ કૂદી પડ્યો અને તેના પર હુમલો કર્યો.

તે સમયે વાંદરો તેને કરડી ગયો હતો. પરંતુ વાંદરાના કરડ્યા પછી પણ આ વાત ત્યાં જ સમાપ્ત થઈ નથી. ખરેખર, જ્યારે ઓટો ડ્રાઈવરે ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે વાંદરાએ તેનો પીછો કર્યો. ડ્રાઈવર પોતાની ઓટો-રિક્ષામાં બેઠો ત્યારે, બદમાશ વાંદરો આગળ ગયો અને ઓટોનું સીટ કવર ફાડી નાખ્યું. 3 કલાકની મહેનત બાદ 30 થી વધુ લોકોએ મળીને વાંદરાને ફસાવી દીધો. બાદમાં વન વિભાગે વાંદરાને શહેરની બહાર લઈ જઈ 22 કિમી દૂર બાલુર જંગલમાં છોડી દીધો હતો.

થોડા દિવસો બાદ વાંદરો બાલુર જંગલમાંથી ગામમાં પાછો આવ્યો, જેનો સ્પષ્ટ અર્થ હતો કે તેણે ત્યાં પહોંચવા માટે 22 કિમીનો પ્રવાસ કર્યો. ત્યારથી ઓટો ડ્રાઈવર ઘર છોડીને બહાર નીકળવામાં પણ ડરે છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જગદીશે કહ્યું, ‘જ્યારે મેં સાંભળ્યું કે વાંદરો ગામમાં પાછો આવી ગયો છે, ત્યારે મને લાગ્યું કે હવે હું જીવતો નહીં રહુ. મેં જાતે જ વન વિભાગને ફોન કર્યો અને તેમને તાત્કાલિક આવવા કહ્યું. આ દરમિયાન હું છુપાયેલો રહ્યો. હું જાણું છું કે તે એજ જ વાંદરો છે કારણ કે છેલ્લી વખત અમે બધાએ તેના કાન પર નિશાન જોયું હતું.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મુડીગેરે કહ્યું, “અમને ખરેખર ખબર નથી કે વાંદરાએ એક માણસને કેમ નિશાન બનાવ્યો છે. અમને ખબર નથી કે તેણે અગાઉ પ્રાણીને કોઈ નુકસાન પહોંચાડ્યું હતું કે તે માત્ર તાત્કાલિક પ્રતિક્રિયા હતી. પરંતુ, આ પહેલીવાર છે જ્યારે આપણે વાંદરાને આ રીતે વર્તતા જોયા છે, જો કે વાંદરાઓ માટે મનુષ્યો પર હુમલો કરવો તે સાંભળ્યું નથી.

આ પણ વાંચો –

PM Modi US Visit: પીએમ મોદીએ ભારતમાં જો બિડેનના સંબંધીઓને શોધી નાખ્યા? અમેરિકી રાષ્ટ્રપતિને કહ્યું, હું મારી સાથે દસ્તાવેજો લાવ્યો છું

આ પણ વાંચો –

UNGAમાં ઇમરાન ખાને “કાશ્મીર રાગ” આલાપ્યો તો, ભારતે કહ્યું પહેલા ગેરકાયદે કબજાથી હટે પાકિસ્તાન

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">