AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: લગ્નમાં ઢોસા માટે મહેમાનો વચ્ચે લૂંટફાટ, લોકો તવા પરથી જ ગરમ ઢોસા લઈ ભાગ્યા

લગ્નો દરમિયાન, લોકો ઘણીવાર તેમની મનપસંદ વસ્તુ ખતમ થાય તે પહેલા ખાવા માટે લડતા, ધક્કા મુક્કી કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયોમાં લગ્ન સમારોહ દરમિયાન ઢોસા માટે લડાઈ જોવા મળી રહ્યો છે.

Viral Video: લગ્નમાં ઢોસા માટે મહેમાનો વચ્ચે લૂંટફાટ, લોકો તવા પરથી જ ગરમ ઢોસા લઈ ભાગ્યા
Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 1:23 PM
Share

લગ્નમાં ખાવા-પીવા પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવે છે. આજકાલ મોટાભાગના લોકો લગ્ન દરમિયાન અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે. જેમાં સ્ટાર્ટરથી લઈને મેઈનકોર્સ સુધીની અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દરમિયાન લગ્નમાં આવેલા મહેમાનો પોતાની મનપસંદ વસ્તુઓની ઘણી મજા લેતા જોવા મળે છે. હાલમાં, લગ્ન દરમિયાન વધુ પડતી ભીડને કારણે, કેટલીકવાર તેમને ખાવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે.

આ પણ વાચો: Viral Video : બિલ્ડિંગની વચ્ચેથી પસાર થાય છે ટ્રેન, ફ્લેટના વધી ગયા ભાવ, લોકો ઘરમાંથી જ પકડે છે ટ્રેન!

સામાન્ય રીતે લગ્ન દરમિયાન 200થી વધુ મહેમાનો એકસાથે આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે નાસ્તાની વસ્તુઓ ખાવાનું શરૂ થાય છે, ત્યારે ભીડનો મોટો હિસ્સો ચાટથી લઈને પાણીપુરી અને અન્ય નાસ્તાની વસ્તુઓ ખાવા માટે ભેગા થાય છે. જેના કારણે સ્ટોલ પર ઘણી ભીડ જોવા મળી રહી છે અને ધક્કામુક્કી થઈ રહી છે. આ દરમિયાન ખાદ્યપદાર્થો મેળવવી એ કોઈ સ્પર્ધાથી ઓછું નથી.

લગ્નમાં ઢોસા માટે લૂંટ

તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં લગ્નમાં આવેલા મહેમાનો ઢોસા ખાવા માટે ખૂબ લડતા જોવા મળે છે. જેને જોયા બાદ યુઝર્સે માથુ પકડી લીધું છે. વીડિયોમાં જ્યાં ઢોસા બનાવનાર વ્યક્તિ તેને બનાવવામાં સફળ રહ્યો છે, તે જ સમયે તેને લેવા માટે લૂંટ પણ થઈ રહી છે. બીજી તરફ, એક વ્યક્તિ તેના પર મૂકેલા ઢોસાને તેના હાથ વડે ગરમ વાસણની પરવા કર્યા વિના ઉપાડતો જોવા મળે છે.

વીડિયો જોયા બાદ યુઝર્સ દંગ રહી ગયા

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે અને પોત-પોતાની કેમેટમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, હવે લગ્નમાં ઢોસા આઈટમ બંધ કરવી પડશે. ભાઈ ભિખારી જેવો લાગે છે. અન્ય એક કહે છે કે, લગ્ન અને અન્ય કાર્યોમાં પંગત ભોજન પીરસવું જોઈએ. આવા જન્મથી ભૂખ્યા લોકો કરતાં વધુ સારું, બેઘર ગરીબ છે, જ્યારે પણ ખોરાક વહેંચવામાં આવે છે, તેઓ તેમના વારાની રાહ જોતા હોય છે.

g clip-path="url(#clip0_868_265)">