જો તમે આટલા મહિનાઓથી PDSમાંથી અનાજ નથી લીધું તો રેશન કાર્ડ થઇ શકે છે રદ્દ, જાણો શું છે નિયમ

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (National Food Security Scheme) હેઠળ રેશનકાર્ડ ધારક પરિવારોને અનાજ આપવામાં આવે છે. સરકાર લોકોને સસ્તા દરે રાશન પૂરું પાડે છે.

જો તમે આટલા મહિનાઓથી PDSમાંથી અનાજ નથી લીધું તો રેશન કાર્ડ થઇ શકે છે રદ્દ, જાણો શું છે નિયમ
ration card (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 11:12 AM

સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારોને રેશનકાર્ડના (Ration Card)આધારે સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. રેશનકાર્ડ બનાવવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય છે. તે જ સમયે તેનું લિસ્ટ અપડેટ કરીને તે લોકોને રેશનકાર્ડ આપવામાં આવે છે. જો કોઈ ગડબડ હોય તો રેશન કાર્ડ પણ રદ કરવામાં આવે છે. 

તો અન્ય કેટલાક કારણોસર રેશનકાર્ડ રદ થઈ શકે છે. જો તમે લાંબા સમયથી અનાજ લેવા માટે તમારા રેશન કાર્ડનો ઉપયોગ કર્યો નથી તો તમારું કાર્ડ પણ રદ થઈ શકે છે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (National Food Security Scheme) હેઠળ રેશનકાર્ડ ધારક પરિવારોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. પરિવારમાં સભ્યોની સંખ્યાના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર લોકોને ખૂબ જ સસ્તા દરે રાશન પૂરું પાડે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે તમે કયા મહિનામાં કેટલું રાશન લીધું છે અને તમારા પરિવારમાં કેટલા સભ્યો છે. આવી તમામ માહિતી રેશનકાર્ડમાં હોય છે. જો તમારા નામે રેશન કાર્ડ હોય તો જ તમને PDS પર અનાજ મળશે. તાજેતરમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એવા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા હતા જેનો લાંબા સમય સુધી ઉપયોગ થયો ન હતો.

જાણો, શું નિયમ છે ? પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર કહેવામાં આવે છે કે જો કોઈ રેશનકાર્ડ ધારકે છ મહિનાથી રાશન લીધું નથી, તો એવું માનવામાં આવે છે કે તેને સસ્તા દરે ઉપલબ્ધ અનાજની જરૂર નથી અથવા તે રાશન લેવા માટે લાયક નથી. આ સ્થિતિમાં આ કારણોના આધારે જે વ્યક્તિએ છ મહિનાથી રાશન લીધું નથી તેનું રેશનકાર્ડ રદ કરવામાં આવે છે.

જો તમારું રેશનકાર્ડ રદ થાય છે, તો તમે તેને ફરીથી એક્ટિવ કરી શકો છો. આ માટે તમારે તમારા રાજ્યમાં AePDS ની ઓફિસિયલ વેબસાઇટ પર જવું પડશે. તમે ભારતભરમાં AePDS રેશન કાર્ડ પોર્ટલની મુલાકાત લઈને તેને ફરી એક્ટિવ કરી શકો છો.

સૌ પ્રથમ રાજ્ય અથવા કેન્દ્રીય AePDS પોર્ટલ પર જાઓ. અહીં રેશન કાર્ડ કરેક્શન વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. રેશન કાર્ડ સુધારણા પેજ પર જાઓ અને તમારો રેશન નંબર શોધવા માટે ફોર્મ ભરો. જો તમારા રેશનકાર્ડની માહિતીમાં કોઈ ભૂલ છે, જેના કારણે તેને રદ કરવામાં આવી છે, તો તેને સુધારો. સુધારણા કર્યા પછી સ્થાનિક PDS ઓફિસની મુલાકાત લો અને સમીક્ષા અરજી સબમિટ કરો. જો તમારી રેશનકાર્ડ સક્રિય કરવાની અરજી સ્વીકારવામાં આવે છે, તો તમારું રદ કરેલું રેશનકાર્ડ ફરી એકિટવ થશે.

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો : Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ થઇ શકે છે હાજર, ત્રણ વખત પાઠવવામાં આવ્યું સમન્સ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">