AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં માત્ર 85 રૂપિયામાં વેચાય છે ઘર, ખરીદવા માટે લોકોની થઈ પડાપડી !

વિશ્વના ઘણા દેશોમાં ઘરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ જ કારણ છે કે લોકો ફ્લેટ અને મકાનો અડધી કિંમતે પણ વેચવા તૈયાર છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે.

અહીં માત્ર 85 રૂપિયામાં વેચાય છે ઘર, ખરીદવા માટે લોકોની થઈ પડાપડી !
Italy (Social Media)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:16 AM
Share

કોરોના મહામારી (COVID-19 Pandemic)ને કારણે ઘણા દેશોમાં લોકોનું કામ બગડી ગયું છે. વિશ્વભરમાં હજારો અને લાખો લોકો હતા જેમણે ઘણું સહન કર્યું હતું. માત્ર મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના શહેરોમાં પણ પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થયો છે. વિશ્વના ઘણા દેશોમાં ઘરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ જ કારણ છે કે લોકો ફ્લેટ અને મકાનો અડધી કિંમતે પણ વેચવા તૈયાર છે. હાલમાં ઈટલી(Italy)માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે.

શખ્સે એક પ્રોજેક્ટ હેઠળ ખરીદ્યું સસ્તું ઘર

કેટલાક દેશોમાં, સ્થાનિક વહીવટીતંત્રે અમુક શરતો સાથે એક ડોલર અથવા એક યુરોમાં જૂના મકાનો વેચવાની યોજના રજૂ કરી હતી. ઉદાહરણ તરીકે આ કેસમાં ‘ધ મિરર’ના સમાચાર અનુસાર, બ્રિટનમાં રહેતા એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ ઈટલીના સિસિલીના મુસોમેલીમાં માત્ર એક યુરો (રૂ. 85)માં નાનું ઘર ખરીદ્યું હતું. આ સ્થળે સ્થાયી થવા માટે ખરીદદારો તૂટી પડ્યા હતા. જો કે વ્યક્તિએ હવે તે જગ્યા છોડી દેવી પડશે, કારણ કે શરત મુજબ તેણે ત્રણ વર્ષમાં તે જૂના મકાનનું નવીનીકરણ કરવાનું હતું, પરંતુ તે વ્યક્તિને લાંબા સમય સુધી રિનોવેશન માટે મજૂરી મળી ન હતી.

ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ કહ્યું શું સમસ્યા હતી

ડેની મેકક્યુબિને સિસિલીના કાલટાનીસેટ્ટા પ્રાંતમાં સ્થિત મુસોમેલી શહેરમાં એક ઘર ખરીદ્યું. મુસોમેલીની સ્થાપના 14મી સદીમાં મેનફ્રેડો 3 ચિરામોન્ટે દ્વારા ‘મેનફ્રેડી’ નામથી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. હાલમાં, આ જગ્યાએ વિદેશીઓને સ્થાયી કરવા માટે ‘Case 1 Euro’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ મેકક્યુબિને અહીં એક યુરો (લગભગ 85 રૂપિયા)માં ઘર ખરીદ્યું.

ઇટાલી મજૂરોની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે

ઈટાલીમાં માલિક બનતા પહેલા મેકકબબીન 17 વર્ષથી બ્રિટનમાં રહેતો હતો. ઘર ખરીદ્યાના એક વર્ષ બાદ પણ તેમને રિનોવેટ કરવા માટે મજૂર ન મળ્યા, કારણ કે ઇટાલી છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર દેશમાં મજૂરોની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પરિણામે, મેકક્યુબિનને મિલકત વેચવી પડી. તેમણે કહ્યું કે બિલ્ડરો ઘરનું નવીનીકરણ કરવા માટે મળી રહ્યા નથી. સમયની સાથે ઘરની હાલત ખરાબ થતી ગઈ.

આ પણ વાંચો: Video: નાઈજીરિયન કલાકારોએ રિક્રિએટ કર્યો ભારતીય ટીવી સીરિયલનો જબરદસ્ત સીન, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

આ પણ વાંચો: PM-KISAN યોજનામાં eKYC ની છેલ્લી તારીખ લંબાવી, પણ ઓનલાઈન નહીં મળે આ સુવિધા, જાણો કેમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">