AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માના પ્રેમનો અમર સ્વાદ: 5 વર્ષ સુધી ફ્રિઝરમાં સાચવી રાખ્યું મૃતક માતાના હાથનું બનેલું છેલ્લું ભોજન, ચાખતા જ પિતા-પુત્રીની આંખો છલકાઈ

જાપાનથી સામે આવેલી આ ભાવુક કહાની તમારા દિલને સ્પર્શી જશે! બ્રેન હેમરેજથી માતાના નિધન બાદ પિતા અને પુત્રીએ માના હાથનું છેલ્લું ભોજન 5 વર્ષ સુધી ફ્રિઝરમાં સાચવી રાખ્યું. જ્યારે નિષ્ણાત શેફની મદદથી તેને ગરમ કરીને ચાખવામાં આવ્યું, ત્યારે પિતા-પુત્રી પોતાની જાતને રોકી ન શક્યા.

માના પ્રેમનો અમર સ્વાદ: 5 વર્ષ સુધી ફ્રિઝરમાં સાચવી રાખ્યું મૃતક માતાના હાથનું બનેલું છેલ્લું ભોજન, ચાખતા જ પિતા-પુત્રીની આંખો છલકાઈ
5 વર્ષ સુધી ફ્રિઝરમાં સાચવી રાખ્યું મૃતક માતાના હાથનું બનેલું છેલ્લું ભોજનImage Credit source: AI
| Updated on: Aug 23, 2026 | 3:23 PM
Share

કોઈ પોતાના સ્વજનના ગયા પછી તેની યાદોને તસવીરોમાં શોધે છે, કોઈ તેમના કપડાં સાચવી રાખે છે, તો કોઈ તેમની ગમતી વસ્તુઓને સંભાળીને જીવે છે. પરંતુ જાપાનમાંથી સામે આવેલી આ કહાની માનવ સંવેદના અને માના પ્રેમની એક એવી અદ્ભુત મિસાલ છે, જે કોઈપણ કઠોર દિલના માણસને પણ રડાવી દે. અહીં એક પિતા અને પુત્રીએ પોતાની દિવંગત માતાના હાથથી બનેલું છેલ્લું ભોજન પૂરા 5 વર્ષ સુધી ફ્રિઝરમાં સહેજીને રાખ્યું હતું.

આ વાર્તા જાપાનની મિઝુકી તાકારાયા અને તેના પિતાની છે. મિઝુકીની માતાએ એક દિવસ ખૂબ જ પ્રેમથી પોતાના પરિવાર માટે જાપાનીઝ વાનગી ‘બુતા નો કાકુની’ (પોર્ક ડિશ) બનાવી હતી. પરંતુ કિસ્મતની બલિહારી તો જુઓ, એ સમયે પરિવારમાંથી કોઈએ પણ વિચાર્યું નહોતું કે આ રસોઈ તેમની માતાના હાથની છેલ્લી રસોઈ બની જશે. ભોજન બન્યાના ગણતરીના કલાકોમાં જ માતાને અચાનક બ્રેન હેમરેજ (Brain Hemorrhage) થયું અને તેમનું અવસાન થઈ ગયું. આ અચાનક આવેલી આપત્તિથી આખો પરિવાર અંદરથી ભાંગી પડ્યો હતો.

માતાના અવસાન બાદ રસોડામાં બચેલું એ ભોજન હવે માત્ર કોઈ ખોરાક નહોતું રહ્યું, પરંતુ તેમાં માતાનો પ્રેમ, તેમના હાથનો સ્વાદ અને તેમની આખરી સ્મૃતિઓ સમાયેલી હતી. પિતા અને પુત્રી બંનેમાંથી કોઈની પણ હિંમત ન થઈ કે તેઓ એ જમવાને ફેંકી દે. આથી, તેમણે માતાની આ આખરી નિશાનીને ફ્રિઝરમાં સાચવી રાખવાનો નિર્ણય કર્યો. દિવસો વીતતા ગયા, મહિનાઓ વિત્યા અને જોતજોતામાં 5 વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો. પરંતુ એ ભોજન ફ્રિઝરના એક ખૂણામાં માતાની યાદ બનીને પડ્યું રહ્યું.

View this post on Instagram

A post shared by Pubity (@pubity)

5 વર્ષ પછી દીકરી મિઝુકીના મનમાં ઈચ્છા જાગી કે શું તે ફરી એકવાર પોતાની માના હાથનો એ જ જૂનો સ્વાદ અનુભવી શકે છે? શું 5 વર્ષ સુધી ફ્રિઝરમાં રહેલું ભોજન હજુ પણ ખાવા લાયક હોઈ શકે? આ ભાવુક સવાલ સાથે પરિવારે એક ટીવી શો અને એક્સપર્ટ શેફની મદદ લીધી. બાયોલોજિકલ ટેસ્ટ અને તપાસ બાદ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું કે ડીપ ફ્રીઝ હોવાને કારણે ખોરાકમાં બેક્ટેરિયા નહોતા. ત્યારબાદ એક કુશળ શેફે તેને ખૂબ જ સાવચેતીપૂર્વક પુનઃ તૈયાર કર્યું.

જ્યારે 5 વર્ષ પછી પિતા અને પુત્રીએ તે ભોજનનો પહેલો નિવાલો મોંમાં મૂક્યો, ત્યારે માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં, પરંતુ માતા સાથે વિતાવેલી દરેક પળ તેમની નજર સામે તરી આવી. રસોડામાં માતાની અવાજ, તેમનો પ્રેમ અને કાળજી—બધું જ જીવંત થઈ ગયું. પિતા-પુત્રી બંનેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ માત્ર ભોજન નહોતું, પરંતુ પ્રેમ, લાગણી અને સ્મૃતિઓનો એક એવો સંગમ હતો જે દુનિયાના કોઈ પણ વાનગી કરતાં વધુ અમૂલ્ય હતો.

Breaking News : ગોવિંદાએ 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસની ધમકી આપી

Follow Us
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">