અનંત અંબાણીએ પોતાની સ્પીચમાં એવું તો શું કહ્યું કે સાંભળીને મુકેશ અંબાણીની આંખોમાં આંસુ આવી ગયા, જુઓ વીડિયો
અનંત અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટનો આજે બીજો દિવસ છે. અનંત અંબાણીએ હૃદય સ્પર્શી સ્પીચ આપી હતી. અનંતની આ સ્પીચ સાંભળીને રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

અનંત અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટનો આજે બીજો દિવસ છે. અનંત અંબાણીએ હૃદય સ્પર્શી ભાષણ આપ્યું હતું. અનંતનું ભાષણ સાંભળીને રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. ઇવેન્ટ દરમિયાન, અનંતે આ સુંદર ક્ષણ બનાવવા માટે તેના માતાપિતાનો આભાર માન્યો.
બાળપણથી જ તેઓ જે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે વિશે પણ વાત કરી અને કેવી રીતે તેમના માતા-પિતાએ તેમને ક્યારેય તકલીફ ન થવા દીધી આ અંગે વાત કરી હતી.
શું કહ્યું અનંત અંબાણીએ ?
અનંતે કહ્યું કે મારું જીવન સંપૂર્ણપણે ગુલાબની પથારી નથી. મેં કાંટાની પીડા પણ સહન કરી છે. નાનપણથી જ મેં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે, પરંતુ મારા પિતા અને માતાએ મને ક્યારેય એવું અનુભવ્યું નથી કે મને કોઈ સમસ્યા છે. તે હંમેશા મારી પડખે ઊભા રહ્યા છે. આ સાંભળતા જ મુકેશ અંબાણી રડી પડ્યા હતા. કોઈપણ પિતા માટે આ ભાવનાત્મક ક્ષણ છે.
Mukesh Ambani in Tears after listening to Anant Ambani’s Emotional Speech. #VickyKaushal || #KatrinaKaif || #AnantRadhika ||#AnantRadhikaWedding ||#anantambaniwedding ||#anantradhikaprewedding ||#RadhikaMerchant || #JanhviKapoor pic.twitter.com/3Fbc9740dO
— ROMAN_KLR (@Royshib69) March 2, 2024
1 હજારથી વધુ મહેમાનોએ આપી હાજરી
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ ઇવેન્ટ્સ આ અઠવાડિયાની શરૂઆતમાં એક સામુદાયિક રાત્રિભોજન સાથે શરૂ થઈ હતી. જ્યાં પડોશી ગામોના હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું. જામનગરમાં ત્રિ-દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા વિશ્વના સૌથી ધનિક લોકો સહિત 1,000 થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા બોલિવૂડ સુપરસ્ટાર્સે પણ ભાગ લીધો હતો.
રિહાન્ના ભારત પહોંચી હતી
આ ખાસ અવસર પર લોકપ્રિય સિંગર રિહાન્નાએ પણ શુક્રવારે ભારતમાં પહેલીવાર પરફોર્મ કર્યું હતું. તેના કેટલાક હિટ ગીતો જેવા કે ‘ડાયમંડ’, ‘રૂડ બોય’, ‘પોર ઈટ અપ’ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ કાર્યક્રમનું બે થીમ પર આયોજન
આજે એટલે કે સમારંભના બીજા દિવસે બે કાર્યક્રમો છે. પ્રથમની થીમ ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’ છે, જેમાં જામનગર આવનાર મહેમાનોને જંગલ સફારી પર લઈ જવામાં આવશે. તેની થીમ ‘મેલા રૂજ’ રાખવામાં આવી છે. આ કાર્નિવલમાં મહેમાનો માટે સાંજે ડાન્સ અને ગીત પરફોર્મન્સનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં થઈ રહ્યું છે, જે ત્રણ દિવસ સુધી ચાલે છે. આવતીકાલે એટલે કે 3જી માર્ચ તેનો છેલ્લો દિવસ છે.