AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: WhatsApp એ જાન્યુઆરીમાં ભારતમાં બેન કર્યા 18 લાખ એકાઉન્ટ, જાહેર થઈ એપની લેટેસ્ટ કમ્પ્લાયન્સ રિપોર્ટ

મેટા-માલિકીની મેસેજિંગ એપ્લિકેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં પ્રતિબંધિત મોટાભાગના એકાઉન્ટ્સ WhatsApp માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાયું હતું. અન્ય યુઝર્સ તરફથી મળેલી ફરિયાદના આધારે મેસેજિંગ એપે પણ કાર્યવાહી કરી છે.

Tech News: WhatsApp એ જાન્યુઆરીમાં ભારતમાં બેન કર્યા 18 લાખ એકાઉન્ટ, જાહેર થઈ એપની લેટેસ્ટ કમ્પ્લાયન્સ રિપોર્ટ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 8:27 AM
Share

વોટ્સએપે (WhatsApp)તેનો લેટેસ્ટ કમ્પ્લાયન્સ રિપોર્ટ (Compliance Report) જાહેર કર્યો છે. રિપોર્ટ દર્શાવે છે કે WhatsAppએ એપની ગાઈડલાઈન (WhatsApp Guidelines)નું ઉલ્લંઘન કરવા બદલ ભારતમાં 18 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે WhatsAppએ ભારતમાં લગભગ 18,50,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ ખુલાસો કર્યો હતો કે તેને જાન્યુઆરીમાં 495 ફરિયાદો મળી હતી અને તે જ મહિનામાં 24 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

મેટા-માલિકીની મેસેજિંગ એપ્લિકેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં પ્રતિબંધિત મોટાભાગના એકાઉન્ટ્સ WhatsApp માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાયું હતું. અન્ય યુઝર્સ તરફથી મળેલી ફરિયાદના આધારે મેસેજિંગ એપે પણ કાર્યવાહી કરી છે.

WhatsApp યુઝર્સ એપની સેવાની શરતો અથવા એપ પર એકાઉન્ટના ઉલ્લંઘન અંગેની કોઈપણ ક્વેરી માટે grievance_officer_wa@support.whatsapp.com પર ઈમેલ મોકલી શકે છે. ફરિયાદો પોસ્ટ દ્વારા પણ ઈન્ડિયા ગ્રીવન્સ ઓફિસરને મોકલી શકાય છે.

એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકતા પહેલા ચેતવણી આપે છે WhatsApp

એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકતા પહેલા WhatsApp અનેક ચેતવણીઓ આપે છે. જો WhatsApp ક્યારેય તમારા એકાઉન્ટને પ્રતિબંધિત કરે છે, તો તમને એક સંદેશ મોકલવામાં આવશે જે કહે છે, “તમારા ફોન નંબર પર WhatsAppનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. મદદ માટે સપોર્ટનો સંપર્ક કરો. જો તમે માનતા હોવ કે તમારા એકાઉન્ટ પર અયોગ્ય રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો તમે મેસેજિંગ એપ્લિકેશનનો સંપર્ક કરી શકો છો અને તેને અનબ્લોક કરવાની વિનંતી કરી શકો છો.

તમે તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાના કારણની યોગ્ય રીતે તપાસ કરવા માટે WhatsApp પર એક ઈમેલ મોકલી શકો છો. જો કોઈ એકાઉન્ટ કંપનીની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતું હોવાનું જણાય તો જ WhatsApp તેને પ્રતિબંધિત કરે છે.

એકાઉન્ટ પ્રતિબંધ પર વોટ્સએપ સ્ટેટમેન્ટ

“સલામતી સંબંધિત ફરિયાદો એવી સમસ્યાઓથી સંબંધિત છે જે પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી અથવા ગેરવર્તણૂકને લગતી ઊભી થઈ શકે છે. આવી ફરિયાદો માટે, અમે ઇન-એપ રિપોર્ટિંગ દ્વારા ફરિયાદની જાણ કરવા માટે વપરાશકર્તાઓને માર્ગદર્શન આપીને પ્રતિભાવ આપીએ છીએ.

આનાથી વોટ્સએપ ફરિયાદકર્તાને રિપોર્ટ કરાયેલા યુઝર્સ અથવા ગ્રૂપ્સ દ્વારા મોકલવામાં આવેલા લેટેસ્ટ મેસેજ તેમજ રિપોર્ટ કરાયેલા યુઝર્સ સાથે ફરિયાદકર્તાની તાજેતરની વાતચીતને પુનઃપ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. અમારી પ્રક્રિયા મુજબ, આ ફરિયાદ રિપોર્ટ સામે લેવામાં આવેલી કાર્યવાહી તરીકે નોંધવામાં આવતું નથી, ”વોટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું હતું.

વોટ્સએપે વધુમાં જણાવ્યું હતું કે જો તે જૂની ટિકિટની ડુપ્લિકેટ ન હોય તો જ તે વપરાશકર્તાની ફરિયાદોનો જવાબ આપે છે. મેસેજિંગ એપ કહે છે કે એકાઉન્ટ પર કાર્યવાહી ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અથવા ફરિયાદ પછી પહેલાથી પ્રતિબંધિત એકાઉન્ટને રિસ્ટોર કરવામાં આવે છે.

આ પણ વાંચો: Russia Ukraine War: સ્પાઈસજેટ પાયલટના જબરદસ્ત એનાઉન્સમેન્ટએ જીતી લીધુ લોકોનું દિલ, ફ્લાઈટમાં ગુંજ્યા દેશભક્તિના નારા

આ પણ વાંચો: હવે ટ્રેનમાં લગેજ મોકલવો વધુ સરળ અને સુરક્ષિત બન્યો, PMS સિસ્ટમ લાગુ કરાઈ, જાણો ફાયદા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">