AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: સરકારનું મોટુ એલાન, કેન્દ્રીય મંત્રીએ કહ્યું 6G ટેક્નોલોજી પર કામ શરૂ, બીજા દેશો કરતા આગળ રહેશે ભારત

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આપણે 6-જી ટેક્નોલોજી( 6G Technology)માં વિશ્વના અન્ય દેશો કરતા આગળ હોવા જોઈએ. નહીં તો પ્રતિભાઓનો દેશ કહેવાનો શું મતલબ. તેમણે આ વાત રવિવારે ટ્રાઈ એક્ટ 1997ના 25માં વર્ષ નિમિત્તે TDSAT સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે કહી હતી.

Tech News: સરકારનું મોટુ એલાન, કેન્દ્રીય મંત્રીએ કહ્યું 6G ટેક્નોલોજી પર કામ શરૂ, બીજા દેશો કરતા આગળ રહેશે ભારત
Union Minister For Communications Ashwini VaishnawImage Credit source: PBNS
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:24 AM
Share

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 6-G પર પણ કામ શરૂ કરી દીધું છે. તેમણે દાવો કર્યો કે અમે 4-G અને 5-G પર ઘણી સારી પ્રગતિ કરી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આપણે 6-જી ટેક્નોલોજી( 6G Technology)માં વિશ્વના અન્ય દેશો કરતા આગળ હોવા જોઈએ. નહીં તો પ્રતિભાઓનો દેશ કહેવાનો શું મતલબ. તેમણે આ વાત રવિવારે ટ્રાઈ એક્ટ 1997ના 25માં વર્ષ નિમિત્તે TDSAT સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે કહી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, સરકાર ટેક્નોલોજીના વિકાસ માટે નિયમનકારી માળખામાં ફેરફારની તૈયારી કરી રહી છે. આપણે કાયદાકીય માળખું, નિયમનકારી અમલીકરણ માળખું અને આપણા સરકારી સંસ્થાઓની વિચારસરણી, લોકોની તાલીમ, તમામમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઉદ્યોગો સાથે સંવાદ ભાગીદાર તરીકે થવો જોઈએ, વિરોધી તરીકે નહીં. ટેક્નોલોજીના વિકાસ માટે આપણે તેના પર સતત કામ કરતા રહેવાની અને આ ક્ષેત્રમાં વધુને વધુ સ્ટાર્ટઅપ્સને જોડવાની જરૂર છે. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે આ એકમાત્ર ક્ષેત્ર છે જે ભવિષ્યના ઉદ્યોગ સાહસિકોને જન્મ આપશે.

કેન્દ્રીય સંચાર મંત્રીએ કહ્યું કે જ્યારે 2જી અને 3જીની વાત થતી હતી ત્યારે આપણે વિશ્વના તમામ દેશોથી પાછળ હતા, પરંતુ હવે એવું નથી. આપણે 5G અને 6-G ટેક્નોલોજીના સંદર્ભમાં આગળ રહેવું પડશે. એક પ્રતિભાશાળી રાષ્ટ્ર તરીકે, આપણે એ રીતે વિચારવું પડશે કે આપણે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકીએ અને દિશા નિર્ધારિત કરી શકીએ.

તેમણે કહ્યું કે IIT-ચેન્નઈ, IIT-કાનપુર, IIT-Bombay અને IISc-બેંગ્લોર સહિત 11 સંસ્થાઓએ 14 મહિનામાં 3 કરોડ ડોલર ખર્ચીને 4G ટેક્નોલોજી વિકસાવી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે 35 ભારતીય ટેલિકોમ કંપનીઓ વિદેશી બજારોમાં તેમના ઉત્પાદનોની નિકાસ કરવાની તૈયારી કરી રહી છે. ભારતના લોકો આજે ભવિષ્યની 5G અને 6-G ટેક્નોલોજીના વિકાસ માટે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન હેઠળના સૌથી મહત્વપૂર્ણ જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચો: PM Kisan નો આગામી હપ્તો મેળવવા જલ્દી આ સરળ રીતથી કરી લો eKYC, અંતિમ તારીખ છે ખુબ નજીક

આ પણ વાંચો: Tech News: આધાર-પાન કાર્ડને તાત્કાલિક SMS દ્વારા કરો લીંક, નહીં તો લાગી શકે છે 10 હજાર રૂપિયાનો દંડ

Follow Us
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">