AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજનાના નામે ફેક કોલ અને SMS દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video

છેતરપિંડીના અનેક મામલા સામે આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત નકલી બેંક એકાઉન્ટ/ફોન કોલ્સ અથવા SMS દ્વારા ફ્રોડ કરનારાઓથી સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

PM Kisan Yojana Fraud: પીએમ કિસાન યોજનાના નામે ફેક કોલ અને SMS દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video
PM Kisan Yojana Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:51 PM
Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને (Farmers) 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિમાં ફ્રોડના કેસ પણ સામે આવ્યા છે. ઘણા લોકો ખોટા દસ્તાવેજી પુરાવા આપીને યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ સાથે જ ઘણા સાયબર ફ્રોડની (Cyber Crime) ઘટનાઓ પણ જોવા મળી છે.

છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની અપીલ

કેટલાક લોકો બિહારના કૃષિ નિયામક ઓફિસના નામે ફોન કોલ અથવા SMS કરીને ખેડૂતોને બેંક ખાતામાં પૈસા જમા કરાવવાનું કહી રહ્યા છે. આવા અનેક મામલા સામે આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત નકલી બેંક એકાઉન્ટ/ફોન કોલ્સ અથવા SMS કરનારા છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

12600 રૂપિયા બેંક ખાતામાં મોકલવાના છે

કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને તેમના મોબાઈલ પર કોલ આવી રહ્યા છે. ફોન કરનાર પોતાની ઓળખ કિસાન સન્માન નિધિ યોજનાના અધિકારી તરીકે આપે છે. ખેડૂતોના નામની પુષ્ટિ કર્યા પછી, તેઓ પૂછે છે કે તેઓને સન્માન નિધિની રકમ મળી રહી છે કે નહીં. ખેડૂતોનો હા પાડે છે ત્યારબાદ કહેવામાં આવે છે કે પૂર-દુષ્કાળના 12600 રૂપિયા તેના બેંક ખાતામાં મોકલવાના છે. બેંક ખાતાના છેલ્લા ચાર અંકો જણાવતા કહે છે કે તેમાં પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા.

પૈસા ખેડૂતના બેંક ખાતામાંથી અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

જો એટીએમ કાર્ડ છે, તો તેનો નંબર જણાવો. જ્યારે ખેડૂતો ના પાડે છે, ત્યારે તેમને તેમના કોઈપણ સંબંધીઓનું એકાઉન્ટ અને એટીએમ નંબર આપવાનું કહેવામાં આવે છે. આ ફોન કોલ સાયબર ફ્રોડ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોય છે. આ પછી મોબાઈલ પર એક OTP મોકલવામાં આવે છે. આ પછી, પૈસા ખેડૂતના બેંક ખાતામાંથી અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પણ વાંચો : Facebook Fake ID Fraud: નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મદદના બહાને છેતરપિંડી, આ રીતે રહો સાવચેત, જુઓ Video

યોજના સાથે સંબંધિત જાણકારી માટે અહીં સંપર્ક કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત કોઈપણ માહિતી માટે, તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">