AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદ્રયાન મિશન માટે આગામી 2 દિવસ મહત્વના, ચંદ્રની નજીક પહોંચીને વધારશે ભારતનું માન

Mission chandrayaan 3 : ભારતના મિશન ચંદ્રયાન-3 માટે આગામી  કલાકો મહત્વના રહેવાના છે. ISRO આગામી ઓપરેશન 16 ઓગસ્ટે કરશે. આ સિવાય 17 ઓગસ્ટનો દિવસ પણ મહત્વનો રહેશે. આ દિવસોમાં ચંદ્રયાન 3, ચંદ્રની વધુ નજીક આવશે.

ચંદ્રયાન મિશન માટે આગામી 2 દિવસ મહત્વના, ચંદ્રની નજીક પહોંચીને વધારશે ભારતનું માન
Chandryaan 3 mission Image Credit source: ISRO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:54 PM
Share

ISRO : તમામ દેશવાસીઓ ભારતના મિશન ચંદ્રયાન-3ની સફળતાની રાહ જોઈ રહ્યા છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ત્રીજી વખત ઘટાડવામાં આવી હતી. એટલે કે ચંદ્રયાન-3 (Chandrayaan 3)  હવે દરેક પસાર થતી ક્ષણ સાથે ચંદ્રની નજીક જઈ રહ્યું છે. તેનું દરેક પગલું ઐતિહાસિક સફળતા તરફ આગળ વધી રહ્યું છે.

આ મિશન માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સમગ્ર વિશ્વની નજર તેના પર કેન્દ્રિત છે. ઈસરો તરફથી મળેલી માહિતી અનુસાર, હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પરિક્રમાનો તબક્કો શરૂ થઈ ગયો છે. ચંદ્રયાન લંબગોળ ભ્રમણકક્ષામાંથી ગોળાકાર ભ્રમણકક્ષામાં આવવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : Chandrayaan 3 : હવે ચંદ્રથી થોડા જ અંતરે છે ચંદ્રયાન, ઈસરોને મળી સફળતા, પાછી ભ્રમણકક્ષા બદલાઈ

આ પણ વાંચો :  Chandrayaan 3: આજે ચંદ્રયાન 3 મારશે મોટી છલાંગ, ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં કરશે પ્રવેશ, ઈસરોની તૈયારી પૂર્ણ

ઈસરો આગામી ઓપરેશન 16 ઓગસ્ટના રોજ સવારે 8:30 કલાકે કરશે.  બેંગલુરુમાં ISROના હેડક્વાર્ટરના વૈજ્ઞાનિકો ચંદ્રયાનના થ્રસ્ટરને ફાયર કરશે અને તેને 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં લાવશે. 17 ઓગસ્ટ ચંદ્રયાન-3 મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

17 ઓગસ્ટે ISRO ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરશે, ત્યારબાદ ચંદ્રયાન-3 ચંદ્રની નજીક આવશે અને 100 x 30 કિમીની ભ્રમણકક્ષામાં વધુ ઝડપ ઘટાડવાનું શરૂ કરશે. આ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા પછી, સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થાય છે. 23 ઓગસ્ટે સાંજે લગભગ 5:30 વાગ્યે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરશે.

આ પણ વાંચો : Chandrayaan 3 : ચંદ્ર પર અન્ય 6 મિશન પહેલેથી જ સક્રિય, ચંદ્રયાન-3 માટે કેટલો મોટો ખતરો ?

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">