AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: પ્રજ્ઞાન રોવર ફરી થઈ શકે છે એક્ટિવ, ISRO ચીફે આપ્યું મોટું અપડેટ

ઈસરો ચીફે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ગયો છે. આ મિશન દ્વારા એકત્ર કરાયેલા વૈજ્ઞાનિક ડેટાને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મિશનમાં લેન્ડર અને રોવર સામેલ હતા. બધાએ પોતપોતાના સ્તરે કામ પૂરું કર્યું. 2 સપ્ટેમ્બરના રોજ, રોવરને સ્લિપ મોડમાં મોકલવામાં આવ્યું હતું. વિક્રમ અને રોવરને સૂતા પહેલા તમામ પેલોડ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી તેઓ સવાર સુધી યોગ્ય રીતે કામ કરી શકે.

Chandrayaan-3: પ્રજ્ઞાન રોવર ફરી થઈ શકે છે એક્ટિવ, ISRO ચીફે આપ્યું મોટું અપડેટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 8:18 AM
Share

Chandrayaan-3: ISRO ચીફ એસ સોમનાથે ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રોવર ચંદ્રની સપાટી પર ફરીથી સક્રિય થઈ શકે છે. કોચીમાં એક કાર્યક્રમ દરમિયાન, જ્યારે એસ સોમનાથને પૂછવામાં આવ્યું કે શું રોવર ફરીથી સક્રિય થશે, તો ઈસરોના વડાએ જવાબ આપ્યો કે તેની દરેક શક્યતા છે.

તેમણે કહ્યું કે તે બીજી વાત છે કે રોવર હાલમાં ચંદ્રની સપાટી પર સ્લિપ મોડમાં છે પરંતુ તે ફરી સક્રિય નહીં થઈ શકે તે વાતને નકારી શકાય નહીં. તેણે કહ્યું કે તે ચંદ્રની સપાટી પર શાંતિથી સૂઈ રહ્યું છે. તેને સારી રીતે સૂવા દઈએ. અમે તેને હેરાન નહીં કરીએ. જ્યારે તેને ઊંઘમાંથી જાગવાની જરૂર પડે ત્યારે તે પોતાની મેળે જાગી જશે. અમે તેને ખલેલ પહોંચાડીશું નહીં.

ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય સિદ્ધ

ઈસરો ચીફે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય સિદ્ધ થઈ ગયો છે. આ મિશન દ્વારા એકત્ર કરાયેલા વૈજ્ઞાનિક ડેટાને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મિશનમાં લેન્ડર અને રોવર સામેલ હતા. બધાએ પોતપોતાના સ્તરે કામ પૂરું કર્યું. 2 સપ્ટેમ્બરના રોજ, રોવરને સ્લિપ મોડમાં મોકલવામાં આવ્યું હતું. વિક્રમ અને રોવરને સૂતા પહેલા તમામ પેલોડ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી તેઓ સવાર સુધી યોગ્ય રીતે કામ કરી શકે.

આ પણ વાંચો: Dang : અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવનાર 60 મહિલાઓનું સન્માન કરાયું, ડાકણ પ્રથાનું દુષણ નાબૂદ કરવા પોલીસે ઝુંબેશ ઉપાડી

22 સપ્ટેમ્બરના રોજ, ISROએ તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ સંકેત મળ્યો નથી. અગાઉ, 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરાણ કર્યા પછી, લેન્ડર, રોવર અને પેલોડે એક પછી એક પ્રયોગો કર્યા જેથી તે 14 દિવસમાં પૂર્ણ થઈ શકે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.

ભારતે 23મી ઓગસ્ટે ઈતિહાસ રચ્યો હતો

ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. કારણ કે હજુ સુધી કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યો નથી. આ પહેલા રશિયા, અમેરિકા અને ચીને ચંદ્ર પર પગ મૂક્યો હતો, પરંતુ તેઓ દક્ષિણ ધ્રુવ પર ઉતરી શક્યા ન હતા. તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3 લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ 4 તબક્કામાં થયું હતું.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">