વિરાટ, ડીવિલીયર્સ અને ઉમેશ યાદવે કોરોના હિરોઝને સલામી આપવા કર્યુ આ કામ, વાંચો આ અહેવાલ

કોરોના વાઈરસની મહામારીને લઈ ટી-20 લીગની 13મી સિઝન યુએઈમાં રમાઈ રહી છે. ભારત સહિત દુનિયાભરના અનેક દેશો કોરોના મહામારીના ભરડામાં છે, આવા સમયે અનેક સ્તરે કોરાના સામે લડત આપતી ફરજ અને સેવા અનેક લોકો નિભાવી રહ્યા છે. આવી જ રીતે ટી-20ની ફેન્ચાઈઝીઓ પણ પોતાની રીતે પોત પોતાના અંદાજમાં કોરોના યોદ્ધાઓને સન્માનિત કરી રહ્યા છે. રોયલ […]

વિરાટ, ડીવિલીયર્સ અને ઉમેશ યાદવે કોરોના હિરોઝને સલામી આપવા કર્યુ આ કામ, વાંચો આ અહેવાલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:07 PM

કોરોના વાઈરસની મહામારીને લઈ ટી-20 લીગની 13મી સિઝન યુએઈમાં રમાઈ રહી છે. ભારત સહિત દુનિયાભરના અનેક દેશો કોરોના મહામારીના ભરડામાં છે, આવા સમયે અનેક સ્તરે કોરાના સામે લડત આપતી ફરજ અને સેવા અનેક લોકો નિભાવી રહ્યા છે. આવી જ રીતે ટી-20ની ફેન્ચાઈઝીઓ પણ પોતાની રીતે પોત પોતાના અંદાજમાં કોરોના યોદ્ધાઓને સન્માનિત કરી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પણ પોતાની જર્સી પર આવા યોદ્ધાના નામ લખીને ખાસ સંદેશો લખેલી જોવા મળી રહી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ આવી જ રીતે એક કોરાના હિરોના નામે કરી દીધું છે.

Virat, Deviliers ane umesh yadav e corona heros ne salami aapva karyu aa kam vancho aa aehval

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સોમવારે રમાઈ રહેલી મેચના અગાઉ જ આરસીબી કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટનું નામ બદલીને સિમરનજીત સિંહ કરી દીધું હતુ. વિરાટે આ પગલું કોરોના મહામારી દરમ્યાન લોકોને મદદ કરનાર સિમરનજીત સિંહના સન્માન માટે ભર્યું છે. આ ઉપરાંત કોહલીએ પ્રોફાઈલ ફોટો પણ બદલી લીધો છે, જેમાં ટીમની જર્સી પહેરેલ છે જેની પર સિમરનજીત સિંહનું નામ લખેલું છે. વિરાટની માફક જ આરસીબીના સભ્ય અને દક્ષિણ આફ્રીકાના સ્ટાર ખેલાડી એબી ડીવીલીયર્સે પણ આમ જ કર્યું હતું. ડીવીલીયર્સે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટનું નામ બદલીને પારિતોષ પંત કરી દીધું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Virat, Deviliers ane umesh yadav e corona heros ne salami aapva karyu aa kam vancho aa aehval

ડીવીલીયર્સે ટ્વીટ કરીને પારિતોષ પંત વિશે પણ બતાવ્યું હતું, હું પારિતોષ પંતને સલામ કરુ છુ, જેમણે પૂજા સાથે મળીને પ્રોજેક્ટ ફીડીંગ ફોર્મ ફારની શરુઆત કરી હતી. લોકડાઉન દરમિયાન જરુરીયાતવાળા લોકોને ખવડાવ્યું હતુ. આ ચેલેન્જર સ્પિરિટને સલામ કરવા માટે મેં આ સિઝનમાં પોતાની જર્સી પર તેમના નામે કરી છે. ઉપરાંત, ઉમેશ યાદવે પણ પોતાની જર્સી શાહનવાઝના નામે કરી દીધી છે. તેણે ટ્વીટ કર્યું છે કે અસલી ચેલેન્જર, શાહનવાઝ શેખ જરુરીયાત ધરાવતા લોકો માટે ઓક્સિજન સીલીન્ડર ખરીદવા પોતાની કાર સુધી વેચી હતી. આવા નિસ્વાર્થ ભાવને લઈ તેમને સલામ કરુ છુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ