IPL માં આવી શકે છે 2 નવી ટીમો, 4 ફ્રેન્ચાઇઝી છે રેસમાં

BCCI એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 2 નવી ટીમો ઉમેરી શકે છે. જેથી ટૂર્નામેન્ટમાં 8માંથી 10 ટીમો બની જશે. તાજેતરમાં આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિકો અને અધિકારીઓની લંડનમાં એક બેઠક થઈ હતી, જેમાં નિષ્કર્ષ આવ્યો હતો કે આઇપીએલને 2020 માં 2 નવી ફ્રેન્ચાઇઝીની રજૂઆતથી ફાયદો થશે. 2011 માં, BCCIએ 8 વર્ષ પહેલા IPLમાં પૂણે વોરિયર્સ અને કોચી […]

IPL માં આવી શકે છે 2 નવી ટીમો, 4 ફ્રેન્ચાઇઝી છે રેસમાં
Follow Us:
| Updated on: Sep 04, 2019 | 12:06 PM

BCCI એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 2 નવી ટીમો ઉમેરી શકે છે. જેથી ટૂર્નામેન્ટમાં 8માંથી 10 ટીમો બની જશે. તાજેતરમાં આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિકો અને અધિકારીઓની લંડનમાં એક બેઠક થઈ હતી, જેમાં નિષ્કર્ષ આવ્યો હતો કે આઇપીએલને 2020 માં 2 નવી ફ્રેન્ચાઇઝીની રજૂઆતથી ફાયદો થશે. 2011 માં, BCCIએ 8 વર્ષ પહેલા IPLમાં પૂણે વોરિયર્સ અને કોચી ટસ્કર્સ કેરળનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ રહ્યો ન હતો. IPLમાં બે નવી ટીમોના સમાચાર ચાહકોને ખુશ કરી શકે છે. ચાલો એક નજર કરીએ કે કઈ ટીમો IPLનો ભાગ બનવાની રેસમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અદાણી ગ્રુપ અમદાવાદથી પોતાની નવી IPL ટીમને મેદાનમાં ઉતારી શકે છે. આ પહેલા પણ અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની ઘણી મેચ રમાઈ ચૂકી છે. એટલું જ નહીં, તે રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ પણ રહી ચૂક્યું છે. અદાણી ગ્રૂપે 2010 માં પણ અમદાવાદને ફ્રેન્ચાઇઝ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે નિષ્ફળ ગયા હતા. ટાટા જૂથે થોડા વર્ષો પહેલા ISLમાં જમશેદપુર ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રતન ટાટાનું જૂથ ક્રિકેટમાં પણ પ્રવેશ કરી શકે છે. જમશેદપુરે પણ ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે. અહીં છેલ્લી વનડે 2006 માં રમવામાં આવી હતી. રાંચીનું નામ પણ ત્યાં જ ચાલી રહ્યું છે. એમએસ ધોની રાંચીથી આવે છે અને અહીં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ પણ છે. ટાટા જૂથ ઝારખંડના રાંચીથી IPLની ટીમ બનાવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉત્તર પ્રદેશના કાનપુર અથવા લખનઉમાં ફ્રેન્ચાઇઝી મેળવવા ઇચ્છુક ઉદ્યોગપતિઓનું એક જૂથ પણ છે. એવું માનવામાં આવે છે કે BCCI તરફથી એસોસિએશનને ઘણો ટેકો મળ્યો છે. જણાવી દઈએ કે તાજેતરમાં લખનૌના ગ્રાઉન્ડ પર ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવી હતી, જ્યારે IPLની મોટાભાગની મેચ કાનપુરમાં જોવા મળે છે. આટલું જ નહીં સુરેશ રૈના, ભુવનેશ્વર કુમાર અને પિયુષ ચાવલા જેવા ખેલાડીઓ પણ આ રાજ્યમાંથી આવે છે.

આ પણ વાંચો: જો તમે મતદાર છો તો તમારા માટે છે આ અગત્યના સમાચાર!

પૂણે શહેર પહેલા પણ IPLમાં 2 ટીમોને ઉતારી છે. સહારા ગ્રુપ તરફથી પૂણે વોરિયર ઇન્ડિયા અને ગોએન્કા ગ્રુપમાંથી રાઇઝિંગ પૂણે સુપરજિએટ હવે ફરી એકવાર પૂણેની નવી ટીમ મેદાન પર જોવા મળી શકે છે. ગોયેન્કા ઉદ્યોગે ફરી એકવાર IPLની ટીમને ખરીદવાનું મન બનાવી લીધું છે અને તેઓ નવી ટીમમાં બોલી લગાવી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">