AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!

India's T20 World Cup 2021 Team: આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ -2 માં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં તેની સાથે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે.

T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!
Team India
| Updated on: Sep 08, 2021 | 9:58 PM
Share

India’s T20 World Cup Squad: T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા (Team India) માં 15 મુખ્ય અને ત્રણ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં સૌથી ચોંકાવનારું નામ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Aswin) નું છે. તે ચાર વર્ષ બાદ T20 ટીમમાં આવ્યો છે. તે જ સમયે, શિખર ધવન (Shikhar Dhawan), યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શક્યા નથી.

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને ટીમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ અને એકમાત્ર વખત T20 વર્લ્ડ કપ જીત્યો. ભારતીય ટીમમાં પાંચ સ્પિન બોલર, બે વિકેટકીપર, ત્રણ પેસર અને પાંચ બેટ્સમેન છે. તે જ સમયે, એક બેટ્સમેન અને બે ઝડપી બોલરોને ત્રણ સ્ટેન્ડ-બાય ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે.

T20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર છે. BCCI એ આ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ સિવાય રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. જેથી ઈજાઓ કે અન્ય કોઈ કટોકટીની સ્થિતીનો સામનો કરી શકાય. T20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેનું યજમાન ભારત છે. BCCI પાસે તેના તમામ હોસ્ટિંગ રાઇટ્સ છે.

હકીકતમાં આઈસીસી ટુર્નામેન્ટ અગાઉ ભારતીય ધરતી પર યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે યુએઈ અને ઓમાનમાં આયોજીત કરવાનો નિર્ણય કરવમાં આવ્યો હતો. આ વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમ્યાન રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો પરંતુ ત્યાર બાદ ટીમ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી.

પ્રથમ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે

આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ -2 માં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં તેની સાથે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે. જ્યારે બે ટીમો ક્વોલિફાયરમાંથી આવશે. ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. આ પછી, 31 ઓક્ટોબરે, તે ન્યૂઝીલેન્ડ સામે ઉતરશે. 3 નવેમ્બરે તેનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. 5 અને 8 નવેમ્બરે ભારત બાકીની બે મેચ રમશે.

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી .

સ્ટેન્ડ બાય ખલાડીઃ શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.

આ પણ વાંચોઃ ICC Test Ranking: ઓવલમાં રહેલો હિરો રોહિત શર્મા રેન્કિંગમાં પણ રહ્યો દમદાર, બુમરાહ અને ઠાકુરને પણ ફાયદો

આ પણ વાંચોઃ Shikhar Dhawan Net Worth: શિખર ધવન ભારતના ધનાઢ્ય ‘રઇશ’ ક્રિકેટરોમાં સામેલ છે, જાણો તેની કમાણી

Follow Us
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">