AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!

India's T20 World Cup 2021 Team: આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ -2 માં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં તેની સાથે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે.

T20 World Cup 2021 માટે ટીમ ઇન્ડીયાનુ BCCI એ કર્યુ એલાન, 15 ધૂરંધરોના બળ પર જીતાશે વિશ્વકપ!
Team India
| Updated on: Sep 08, 2021 | 9:58 PM
Share

India’s T20 World Cup Squad: T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા (Team India) માં 15 મુખ્ય અને ત્રણ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં સૌથી ચોંકાવનારું નામ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Aswin) નું છે. તે ચાર વર્ષ બાદ T20 ટીમમાં આવ્યો છે. તે જ સમયે, શિખર ધવન (Shikhar Dhawan), યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ વર્લ્ડ કપમાં સ્થાન મેળવી શક્યા નથી.

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને ટીમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પ્રથમ અને એકમાત્ર વખત T20 વર્લ્ડ કપ જીત્યો. ભારતીય ટીમમાં પાંચ સ્પિન બોલર, બે વિકેટકીપર, ત્રણ પેસર અને પાંચ બેટ્સમેન છે. તે જ સમયે, એક બેટ્સમેન અને બે ઝડપી બોલરોને ત્રણ સ્ટેન્ડ-બાય ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે.

T20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર છે. BCCI એ આ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ સિવાય રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. જેથી ઈજાઓ કે અન્ય કોઈ કટોકટીની સ્થિતીનો સામનો કરી શકાય. T20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેનું યજમાન ભારત છે. BCCI પાસે તેના તમામ હોસ્ટિંગ રાઇટ્સ છે.

હકીકતમાં આઈસીસી ટુર્નામેન્ટ અગાઉ ભારતીય ધરતી પર યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે યુએઈ અને ઓમાનમાં આયોજીત કરવાનો નિર્ણય કરવમાં આવ્યો હતો. આ વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમ્યાન રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો પરંતુ ત્યાર બાદ ટીમ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી.

પ્રથમ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે

આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાને ગ્રુપ -2 માં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં તેની સાથે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે. જ્યારે બે ટીમો ક્વોલિફાયરમાંથી આવશે. ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. આ પછી, 31 ઓક્ટોબરે, તે ન્યૂઝીલેન્ડ સામે ઉતરશે. 3 નવેમ્બરે તેનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. 5 અને 8 નવેમ્બરે ભારત બાકીની બે મેચ રમશે.

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી .

સ્ટેન્ડ બાય ખલાડીઃ શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.

આ પણ વાંચોઃ ICC Test Ranking: ઓવલમાં રહેલો હિરો રોહિત શર્મા રેન્કિંગમાં પણ રહ્યો દમદાર, બુમરાહ અને ઠાકુરને પણ ફાયદો

આ પણ વાંચોઃ Shikhar Dhawan Net Worth: શિખર ધવન ભારતના ધનાઢ્ય ‘રઇશ’ ક્રિકેટરોમાં સામેલ છે, જાણો તેની કમાણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">