રવિન્દ્ર જાડેજાને લઈને માંજરેકરે ફરી છેડ્યો છે વિવાદ, કહે છે વનડેમાં તેવા ક્રિકેટરોથી છે પરેશાની
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલના સમયમાં કોમેન્ટેટર સંજય માંજરેકર મોટેભાગે ચર્ચાઓમાં રહે છે. જોકે તેમાં તે મોટે ભાગે વિવાદીત ચર્ચાઓમાં જ રહે છે. સંજય માંજરેકર તેમની કોમેન્ટ્રી દરમ્યાન એવી કોઈકના કોઈક વાતને કહી દેતા હોય છે કે, જે બાદમાં વિવાદનો મધપૂડો છેડી દે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં પણ તે મોટેભાગે ટ્રોલનો શિકાર પણ […]
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલના સમયમાં કોમેન્ટેટર સંજય માંજરેકર મોટેભાગે ચર્ચાઓમાં રહે છે. જોકે તેમાં તે મોટે ભાગે વિવાદીત ચર્ચાઓમાં જ રહે છે. સંજય માંજરેકર તેમની કોમેન્ટ્રી દરમ્યાન એવી કોઈકના કોઈક વાતને કહી દેતા હોય છે કે, જે બાદમાં વિવાદનો મધપૂડો છેડી દે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં પણ તે મોટેભાગે ટ્રોલનો શિકાર પણ થતા રહે છે. તેમણે હાલની ઓસ્ટ્રેલીયા પ્રવાસની ભારતની પ્રથમ વનડે દરમ્યાન કોમેન્ટ્રીમાં એવી વાત કહી દીધી કે ફરી એકવાર વિવાદ સર્જાઈ ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સંજય માંજરેકરે આઈસીસી વર્લ્ડકપ 2019 દરમ્યાન રવિન્દ્ર જાડેજાની રમત પર સવાલ ઉભા કર્યા હતા. તેમણે એ વખતે કહ્યુ હતુ કે, જાડેજા ટીમમાં નાની મોટી ચીજો કરતો રહે છે, એટલે કે ના બેટ્સ કે ના બોલીંગમાં યોગ્ય રહે છે. તે પછી જાડેજાએ પોતાની પ્રદર્શન વડે માંજરેકરને જવાબ આપ્યો હતો. હવે ફરી એકવાર માંજરેકરે જાડેજા પર સવાલ ઉઠાવ્યા છે. સહેવાગે જાડેજાનો મુદ્દો ઉઠાવતા જ માંજરેકરે રવિન્દ્ર જાડેજાથી કોઈ પરેશાની નથી, પરંતુ તેના જેવા ખેલાડી વન ડે ક્રિકેટમાં યોગ્ય નથી લાગતા એમ કહી દીધુ હતુ.
એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા માંજરેકરે કહ્યુ હતુ કે, જાડેજાને લઈને મેં મારી પ્રતિક્રીયા આપી છે. મને તે ઓલરાઉન્ડરથી કોઈ જ પરેશાની નથી, પરંતુ મને પરેશાની છે વન ડે અને ટી-20 મેચમાં જાડેજા જેવા ખેલાડીયોના હોવાથી. મેં પાછળના કેટલાક વર્ષોથી જે સિદ્ધાંત શીખ્યા છે. તેનાથી આધારીત મારી પસંદગી અને વિચાર હોય છે. તેમણે કહ્યુ કે, મને જાડેજાથી કોઇ પરેશાની નથી, મને તેના જેવા ક્રિકેટરોથી વ્હાઇટ બોલ ક્રિકેટમાં સમસ્યા છે. ત્યાં સુધી કે હાર્દિક પંડ્યા પણ મારી ટીમમાં નહી હોઈ શકે. મેં હંમેશા જાડેજાને ટેસ્ટ ફોર્મેટમાં પ્રાથમિકતા આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો