AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS NZ: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ T20 સીરીઝ પહેલા હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ખેલાડીઓનું સ્વાસ્થ્ય જીત કરતા વધુ મહત્વનું છે

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ T20 સીરીઝ પહેલા હેડ કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid)એક મોટી વાત કહી છે.

IND VS NZ: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ T20 સીરીઝ પહેલા હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ખેલાડીઓનું સ્વાસ્થ્ય જીત કરતા વધુ મહત્વનું છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 5:35 PM
Share

IND VS NZ: બુધવારથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ (T20 series)શરૂ થઈ રહી છે અને તે પહેલા નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને નવા T20 કેપ્ટન રોહિત શર્માએ એક મોટી વાત કહી છે.

રાહુલ દ્રવિડે સ્પષ્ટ કહ્યું કે, તે ટીમ ઈન્ડિયાને ત્રણ ટુકડામાં નહીં વહેંચે. રાહુલ દ્રવિડે (Rahul Dravid)અલગ-અલગ ફોર્મેટની અલગ-અલગ ટીમો વિશે આ વાત કહી. રાહુલ દ્રવિડે કહ્યું કે, તે દરેક ફોર્મેટ માટે અલગ-અલગ ટીમના પક્ષમાં નથી.

રાહુલ દ્રવિડે (Rahul Dravid) મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું દરેક ફોર્મેટ માટે અલગ ટીમના પક્ષમાં નથી. અમે આવું કરવાના નથી. અમારે ખેલાડીઓ સાથે વાત કરવી પડશે. મારા માટે ખેલાડીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય (Physical and mental health)ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાગ્યે જ કોઈ એવી શ્રેણી હશે જેમાં તમામ ફોર્મેટના ખેલાડીઓ રમી શકશે નહીં. હું વ્યક્તિગત ટીમો વિશે વિચારતો નથી. હા, ખેલાડીઓને ફોર્મેટ પ્રમાણે બદલી શકાય છે.

તમામ ફોર્મેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે – રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડે કોઈપણ એક ફોર્મેટને વધુ મહત્વ આપવાની વાતને પણ ફગાવી દીધી હતી. રાહુલ દ્રવિડે કહ્યું કે, તેના માટે દરેક ફોર્મેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાહુલ દ્રવિડે કહ્યું, ‘અમે કોઈપણ એક ફોર્મેટ પર વધુ ધ્યાન આપવાના નથી. મારા માટે તમામ ફોર્મેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણેય ટી-20 વર્લ્ડ કપ, ઓડીઆઈ વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તમામનું સમાન મહત્વ છે.

ખેલાડીઓના સ્વાસ્થ્ય કરતા જીતવું વધુ મહત્વનું નથીઃ દ્રવિડ

રાહુલ દ્રવિડે કહ્યું કે, જીત તેના માટે મહત્વની છે પરંતુ તે ખેલાડીઓના સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું નથી. દ્રવિડે કહ્યું, ‘આપણે સંતુલન શોધવું પડશે. અમે જીતવા માંગીએ છીએ પરંતુ તે ખેલાડીઓના સ્વાસ્થ્ય કરતા વધુ મહત્વનું નથી. આપણે તેના વિશે વિચારવાની જરૂર છે. અમે આ કેવી રીતે કરીશું તે હવે જણાવવું જરૂરી છે પરંતુ હું તમને ખાતરી આપું છું કે અમે તે ચોક્કસપણે કરીશું.’ રાહુલ દ્રવિડે કહ્યું કે ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દ્રવિડે કહ્યું, ‘ખેલાડીઓના વર્કલોડને મેનેજ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અમારા ખેલાડીઓને એવી રીતે તૈયાર કરીશું કે દરેક મોટી મેચ માટે તૈયાર હોય. તમે જુઓ કે કેન વિલિયમસન આ શ્રેણીમાં નથી રમી રહ્યો. તમામ ટીમો માટે આ એક મોટો પડકાર છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની શરમજનક હરકત બાદ બાંગ્લાદેશમાં હંગામો, ઝંડાને કારણે શ્રેણી રદ કરવાની માગ ઉઠી

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">