AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની શરમજનક હરકત બાદ બાંગ્લાદેશમાં હંગામો, ઝંડાને કારણે શ્રેણી રદ કરવાની માગ ઉઠી

બાંગ્લાદેશ અને પાકિસ્તાન (Bangladesh vs Pakistan) વચ્ચે 3 T20 અને 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે .

પાકિસ્તાનની શરમજનક હરકત બાદ બાંગ્લાદેશમાં હંગામો, ઝંડાને કારણે શ્રેણી રદ કરવાની માગ ઉઠી
પાકિસ્તાની ટીમ પ્રેક્ટિસ સેશન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 5:17 PM
Share

T20 વર્લ્ડ કપ 2021ની સેમીફાઈનલમાં હાર બાદ પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશ પહોંચી ગઈ છે. બાબર આઝમની ટીમ બાંગ્લાદેશ સામે 3 T20 અને 2 ODI શ્રેણી રમવાની છે. 19 નવેમ્બરથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે, પરંતુ આ મેચ પહેલા જ પાકિસ્તાની ટીમનો વિરોધ આખા બાંગ્લાદેશમાં શરૂ થઈ ગયો છે.

વાસ્તવમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન પાકિસ્તાની ટીમે પોતાના દેશનો ધ્વજ નેટની પાસે લગાવી દીધો, જેનાથી બાંગ્લાદેશી ચાહકો ખૂબ નારાજ થયા. નારાજગી એટલી બધી છે કે, સિરીઝ રદ કરવાની માગ કરવામાં આવી છે.

બાંગ્લાદેશી ચાહકોએ ટ્વિટર પર કહ્યું કે, પાકિસ્તાની ટીમ જે રીતે બીજા દેશમાં આવીને પોતાનો ઝંડો ઉંચો કરી રહી છે તે ખોટું છે અને બાબર આઝમની ટીમે તરત જ પરત જવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ દરમિયાન પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમ તેના નેટ સેશન દરમિયાન પાકિસ્તાનનો ધ્વજ લગાવતી હતી. યુએઈમાં આ મુદ્દો ઊભો થયો નથી, પરંતુ બાંગ્લાદેશી લોકોને આ વાત બિલકુલ સ્વીકાર્ય લાગતી નથી.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Bangladesh vs Pakistan)વચ્ચેની સિરીઝ ખૂબ જ કપરી બની રહી છે. બાંગ્લાદેશે તેની છેલ્લી બે T20I શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું છે. આ ટીમ પાકિસ્તાનને પણ ચોંકાવી શકે છે. જો કે પાકિસ્તાન જે પ્રકારનું સ્વરૂપ ધરાવે છે તે જોતા આ કામ એટલું સરળ પણ નથી.

શું છે મામલો?

પાકિસ્તાનના મુખ્ય કોચ સકલેન મુશ્તાક પ્રેક્ટિસ સેશન દરમિયાન પોતાના દેશનો ધ્વજ લગાવીને ટીમના ખેલાડીઓને તાલીમ આપે છે. તેનું માનવું છે કે, તેનાથી ખેલાડીઓનું મનોબળ વધે છે. તેણે આ પરંપરા 2021 T20 વર્લ્ડ કપ દરમિયાન જ શરૂ કરી હતી અને તેને સારા પરિણામ મળ્યા હતા તે પછી તેણે બાંગ્લાદેશ શ્રેણીમાં તેને ચાલુ રાખ્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (Pakistan Cricket Board) બાંગ્લાદેશમાં પાકિસ્તાની ખેલાડીઓના પ્રેક્ટિસ સેશનનો ફોટો શેર કર્યો છે, જેમાં મેદાન પર તેમના દેશનો ધ્વજ જોઈ શકાય છે. બાંગ્લાદેશના ચાહકોને આ પસંદ નથી. તેણે આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો : Gold News: જાણવું છે કે વિદેશથી કેટલું સોનું લાવી શકો છો? નિયમોનું ઉલ્લંઘન કરશો તો જેલની હવા ખાવી પડી શકે છે

આ પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">