Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Novak Djokovic: રસી વિના કોરોનાનો ઈલાજ શોધવામાં નોવાક જોકોવિચ વ્યસ્ત, ફાર્મા કંપનીમાં કર્યું મોટું રોકાણ

નોવાક જોકોવિચ (Novak Djokovic) કોરોના રસી સામેના તેના વલણને કારણે ચર્ચામાં છે અને તેના માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં તેણે ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ઓપન રમ્યા વિના પરત ફરવું પડ્યું હતું.

Novak Djokovic: રસી વિના કોરોનાનો ઈલાજ શોધવામાં નોવાક જોકોવિચ વ્યસ્ત, ફાર્મા કંપનીમાં કર્યું મોટું રોકાણ
Novak Djokovic એ ઓસ્ટ્રેલિયા ઓપનમાં રમ્યા વિના જ પરત ફરવુ પડ્યુ હતુ.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:58 AM

વિશ્વના નંબર વન પુરૂષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic) કોરોના વાયરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલી રસી સામે પોતાના વલણને લઇને ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ વલણના કારણે તેણે વર્ષની ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) રમ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. આ વિવાદ એવા અહેવાલો વચ્ચે આવ્યો છે કે સર્બિયન જાયન્ટે ડેનિશ બાયોટેક ફર્મ (Danis Bio Tech Firm) માં 80 ટકા હિસ્સો ખરીદ્યો છે. તે કંપની રસી-મુક્ત સારવાર શોધવા પર કામ કરી રહી છે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ડેનિશ કંપની ક્વાંન્ટબાયોરેસ (QuantBioRes) માં જોકોવિચની 80 ટકા ભાગીદારી છે. રિપોર્ટમાં કંપનીના સીઈઓ ઈવાન લોન્કેરેવિચને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જોકોવિચે આ કંપનીમાં જૂન 2020માં જ રોકાણ કર્યું હતું. જોકે, જોકોવિચના પ્રવક્તાએ આ સમાચાર પર કોઈ ટિપ્પણી કરી ન હતી.

કંપનીના સીઈઓ લોંકરવીના જણાવ્યા અનુસાર, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા અને સ્લોવેનિયામાં ફર્મના 11 સંશોધકો રસી વિના કોવિડનો ઈલાજ શોધવા માટે સંશોધનમાં લાગેલા છે. કંપની આ વર્ષે યુકેમાં તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની આશા રાખે છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

ઓસ્ટ્રેલિયા ઓપન રમ્યા વિના પરત ફરવુ પડ્યુ

નવ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન અને 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચને તાજેતરમાં રસી અને વિઝા વિવાદને કારણે ઓસ્ટ્રેલિયા ઓપન રમ્યા વિના મેલબોર્નથી પરત ફરવું પડ્યું હતું. જોકોવિચે રસીકરણ કર્યું નથી, જે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ માટે ફરજિયાત છે. જોકોવિચે તબીબી રજા લીધી હોવા છતાં, આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા તેના વિઝા બે વાર રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે સર્બિયન દિગ્ગજને રેકોર્ડ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને રેકોર્ડ 21મો ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે વધુ રાહ જોવી પડી હતી.

કાનૂની લડાઇમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હાર્યો હતો

જોકોવિચનો ઓસ્ટ્રેલિયામાં બે વખત વિઝા રદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેણે કોરોના રસીકરણના કડક નિયમોમાં તબીબી મુક્તિ માટે જરૂરી માપદંડોને પૂર્ણ કર્યા ન હતા. તેણે પ્રથમ વખત વિઝા કેન્સલેશન સામે કાનૂની લડાઈ જીતી હતી પરંતુ બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં એ જ ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકોને એન્ટ્રી મળી છે જેમને કોરોના વાયરસની બંને રસી મળી છે.

ટેનિસ સ્ટાર ત્યાર બાદ તે મેલબોર્ન થી દુબઇ સાડા તેર કલાકની હવાઇ સફર કરીને પહોંચ્યો હતો. જ્યાંથી તેણે સાર્બિયાની રાજધાનીની ફ્લાઇટ પકડી હતી. આમ વિવાદો બાદ તે પરત ફર્યો હતો. હવે તેને ફ્રાન્સ ઓપનમાં પણ રમવાને લઇને મુશ્કેલીઓ દેખાઇ રહી છે.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ, માસ્ટર બ્લાસ્ટર કરતા 42 ઇનીંગ પહેલા વિદેશમાં કર્યો આ કમાલ

આ પણ વાંચોઃ IND VS SA: કેપ્ટનશીપ થી હટ્યા બાદ પણ નથી બદલાયો વિરાટ કોહલી, મેદાનમાં ‘બાખ઼ડી’ પડ્યો, જુઓ Video

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">