AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gymnast: દીપા કર્માકરને આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિક્સ ફેડરેશને સસ્પેન્ડ દર્શાવી, ભારતીય સંઘને જાણકારી નહી!

દીપા કર્માકર (Dipa Karmakar) 2016 રિયો ઓલિમ્પિકમાં વોલ્ટ ઈવેન્ટમાં તેના શાનદાર પ્રદર્શન દ્વારા ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તે ચોથા નંબર પર હતી. તેણે 2019 થી કોઈ સ્પર્ધામાં ભાગ લીધો નથી. તે ઈજાઓ સામે સંઘર્ષ કરી રહી છે.

Gymnast: દીપા કર્માકરને આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિક્સ ફેડરેશને સસ્પેન્ડ દર્શાવી, ભારતીય સંઘને જાણકારી નહી!
Dipa Karmakar એ 2019 થી કોઈ સ્પર્ધામાં ભાગ લીધો નથી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 12:28 PM
Share

ઈન્ટરનેશનલ જિમ્નાસ્ટિક્સ ફેડરેશનની વેબસાઈટ પર ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર (Dipa Karmakar) ને સસ્પેન્ડેડ ખેલાડી તરીકે દર્શાવવામાં આવી છે. આ ઘટનાથી જિમ્નેસ્ટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Gymnastics Federation of India) ને પણ આશ્વર્ય સર્જાયુ છે. ભારતીય સંઘનુ કહેવું છે કે દીપા કર્માકરને ક્યારે અને કેવી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા તે અંગે તેમને કોઈ માહિતી મળી નથી. ઈન્ટરનેશનલ જિમ્નાસ્ટિક્સ ફેડરેશન (International Gymnastics Federation) ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 28 વર્ષની દીપા જ માત્ર સસ્પેન્ડ છે. અન્ય તમામ ભારતીય જિમ્નાસ્ટ સક્રિય તરીકે દર્શાવવામાં આવ્યા છે. વેબસાઈટ પર દીપાની બાયોગ્રાફીના સેક્શનમાં પણ તેને સસ્પેન્ડેડ લખવામાં આવી છે. સસ્પેન્ડનો અર્થ શું છે તે સ્પષ્ટ નથી.

દીપા કર્માકર 2016 રિયો ઓલિમ્પિકમાં વોલ્ટ ઈવેન્ટમાં તેના શાનદાર પ્રદર્શન દ્વારા ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તે ચોથા નંબર પર હતી. તેણે 2019 થી કોઈ સ્પર્ધામાં ભાગ લીધો નથી. તે ઈજાઓ સામે સંઘર્ષ કરી રહી છે. આ કારણે તે 2020 ટોક્યો ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી શકી નથી.

જિમ્નેસ્ટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખે શું કહ્યું?

જિમ્નેસ્ટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ સુધીર મિત્તલે પીટીઆઈને કહ્યું, અમને દીપાના સસ્પેન્શન અંગે ઈન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશન તરફથી કોઈ માહિતી મળી નથી. મને ખબર નથી કે તેનું કારણ શું છે અને સત્ય શું છે. ત્યાં કોઈ વાતચીત નથી તેથી રાહ જુઓ. હું ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશન સાથે વાત કર્યા વિના ટિપ્પણી કરી શકીશ નહીં.

દીપાના સસ્પેન્શનનો ડોપિંગ સાથે કોઈ સંબંધ નથી!

જિમ્નેસ્ટિક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના અન્ય એક અધિકારીએ કહ્યું કે સસ્પેન્ડેડ સ્ટેટસ કોઈ અન્ય કારણોસર હોઈ શકે છે. તેને ડોપિંગ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે કહ્યું કે તે શિસ્ત સાથે જોડાયેલી બાબત હોઈ શકે છે. સસ્પેન્શન હંમેશા ડોપિંગ સાથે સંકળાયેલું નથી. ઈન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશનની વેબસાઈટ પર દીપા કર્માકરનું નામ એન્ટી ડોપિંગ વિભાગમાં નથી. અહીંની માહિતી છેલ્લે સપ્ટેમ્બર 2021માં અપડેટ કરવામાં આવી હતી.

2019 થી, ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશને જિમ્નેસ્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તેમના દેશ માટે રમવા માટેનું લાઇસન્સ હોવું ફરજિયાત બનાવ્યું છે. આ લાયસન્સમાં ખેલાડીનું નામ, લિંગ, દેશ, જન્મ તારીખ જેવી માહિતી હોય છે.

આ પણ વાંચોઃ Football: રશિયા પર FIFA અને UEFA આકરા પાણીએ, યુક્રેન પર હુમલો કરવાને લઇ ફુટબોલ ટીમને સસ્પેન્ડ કરી દીધી

આ પણ વાંચોઃ Sabarkantha: યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થવા શિવજીની 51 ફુટ પ્રતિમા સમક્ષ સવા મણ રુ ની જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરાઇ, ભક્તોએ ઘીની આહુતી આપી

Follow Us
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
g clip-path="url(#clip0_868_265)">